________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૧૯
એવું જ્ઞાન થાય છે. જો આત્મા જ નથી તો “આ હું છું” એવું જ્ઞાન કેમ થાય છે ? આત્મા નામનો વિષય જો ન હોય તો તે વિષયને જણાવનારું “આ હું છું” એવા પ્રકારનું અહં ના વિષયવાળું વિષયી એવું જ્ઞાન પણ ન થવું જોઈએ.
પ્રશ્ન - દેહથી ભિન્ન એવો સ્વતંત્ર આત્મા નામનો પદાર્થ નથી એમ હું માનું છું. બાકી દેહ એ આત્મા છે એમ તો આત્મદ્રવ્યને હું પણ માનું છું. આ રીતે દેહ એ જ આત્મા નામનો વિષય હોવાથી દેહમાં જ “હું = ઙ્ગદૂં” એવા પ્રકારનું વિષયવાળું જ્ઞાન થાય જ છે. વિષય એવો દેહાત્મક આત્મા હોવાથી વિષયી એવું જ્ઞાન થાય જ છે.
=
**
ઉત્તર - જો દેહ એ જ આત્મા હોય, અને દેહમાં જ “અઠ્ઠું = હુંનો” બોધ થતો હોય તો તો જીવ વિનાના બનેલા મરેલા શરીરમાં પણ તે અદું-અહં નો બોધ થવો જોઈએ. પણ મૃત શરીરમાં આવો બોધ થતો નથી. તેથી નક્કી થાય છે કે દેહ એ તો જીવ નથી. હવે જો દેહથી જુદો જીવ હોય અને તેને આશ્રયી “દું-અö=હુંપણા''નો બોધ જો થતો હોય તો આ રીતે શરીરથી ભિન્ન એવા જીવના વિષયમાં જ હુંપણાનો બોધ થાય છે. તો પછી “હું આત્મા છું કે નથી” આવા પ્રકારનો સંશય તમને કેવી રીતે થાય ? કારણ કે ‘‘અનં-દં'' હું પણાનું જે જ્ઞાન થાય છે. તે અઠ્ઠું પણાના જ્ઞાનનો વિષય તો જીવ છે. તેથી ‘હું છું જ” એવો આત્મવિષયક નિર્ણય જ થવો યોગ્ય કહેવાય. તેથી જો દેહથી ભિન્ન આત્મા છે એમ તમે માનો તો સંશય ન થવો જોઈએ, પણ નિર્ણય જ થવો જોઈએ અને જો આત્માના અસ્તિત્વનો સંશય જ તો પછી આ “અહં = હું પણાનો' જે બોધ થાય છે તે કોને થાય છે ? કારણ કે જ્ઞાનનું મૂલ ઉપાદાન કારણ તો આત્મા જ છે. જો આત્મા જ નથી એટલે કે મૂલ જ નથી તો પછી મૂલભૂત આત્મા જ ન હોવાથી આત્માના જ વિષયવાળો ‘‘અદ્ભુ' પણાનો બોધ ઉત્પન્ન ન થવો જોઈએ.
=
સારાંશ કે દેહને જ આત્મા માનો તો જીવ વિનાના દેહને અહં નો બોધ થવો જોઈએ, તે થતો નથી એટલે દેહથી જીવ જુદો છે. અને જો દેહથી જુદો જીવ માનો તો જીવનો સંશય ન રહેવો જોઈએ નિર્ણય થવો જોઈએ અને જો સંશય જ રહે છે તો ‘‘દં’’ નો બોધ કોને થાય છે ? ઈત્યાદિ ચિંતન કરશો તો સમજાશે કે “આત્મા નામનો પદાર્થ છે.” ૧૫૫૬॥
જો જીવ જ આ સંસારમાં ન હોય તો તેના વિષયનો સંશય પણ ન જ થવો જોઈએ. जइ नत्थि संसइच्चिय, किमत्थि नत्थित्ति संसओ कस्स ? । સંસા વ સવે, ગોયમ ! મિસંસય હોખા ॥૭॥