SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ પ્રકારના વ્યવહારના વિષયમાં વારંવાર પ્રયોગ કરાતો જે આ “હું-હું-નો (દું-મĒનો) બોધ થાય છે. તેનાથી પણ આત્મા પ્રત્યક્ષ છે એમ હે ગૌતમ ! તમે સ્વીકારો. ઉપરોક્ત સર્વે વાક્યોમાં જે હું-હું બોલાય છે તે હું શબ્દથી વાચ્ય આત્મા જ છે. અહં શબ્દ આત્માને જ જણાવે છે. મરેલા શરીરમાં આવા પ્રકારનો “હું” શબ્દનો પ્રયોગ કોઈ કરતું નથી. તેથી ‘‘દં’’ આવો જે અનુભવ થાય છે તે આત્મા છે. આ હં પણાનો જે બોધ છે તે જ પ્રત્યક્ષપ્રમાણ છે. આ ‘‘ફ્રેં’’ નો જે બોધ છે તે અનુમાનપ્રમાણ નથી. કારણ કે અનુમાનમાં તો લિંગ-લિંગી હોય છે. અહીં કોઈ લિંગ નથી. ‘‘અદં’’ નો અનુભવ તો સાક્ષાત્ જ થાય છે. તથા આ ‘‘દં’’ નો જે બોધ થાય છે તે આગમાદિ અન્ય પ્રમાણ પણ નથી. કારણ કે આગમાદિ નહીં જાણનારા બાળકો-ગોવાળીયાઓ વગેરે અજ્ઞાની જીવો પણ હૃદયની અંદર રહેલા આત્માને સાધક એવા પોતાના અનુભવાત્મક ‘દું-હૈં હું-હું'' આવા વાક્યનો પ્રયોગ કરે જ છે. તેવા અજ્ઞાનીને પણ સમજાય છે કે હું કરું છું વગેરેમાં હું એટલે આત્મા તથા જ્યાં આત્મા નથી ત્યાં ઘટાદિ અન્ય પદાર્થમાં ક્યારેય પણ “હું જળ ધારણ કરું છું” આવો બોધ થતો નથી. તેથી જ્યાં જ્યાં અદું-અરૂં બોધ થાય છે ત્યાં ત્યાં તે જ આત્મા છે. આમ હે ગૌતમ ! તું સ્વીકાર. ૧૫૫૫॥ कह पडिवण्णमहं ति य, किमत्थि नत्थित्ति संसओ कह णु ? सइ संसयम्मि वायं, कस्साहंपच्चओ जुत्तो ॥ १५५६॥ (कथं प्रतिपन्नमहमिति च, किमस्मि नास्मीति संशयः कथं नु । सति संशये वायं, कस्याहम्प्रत्ययो युक्तः । ) = ગાથાર્થ - હે ઈન્દ્રભૂતિ ! જો જીવ નથી તો “અહૈં આ હું” એવો બોધ તમને કેમ થાય છે ? અને જો “આ હું છું” એવો બોધ તમને થાય છે તો પછી “હું છું કે નથી” આવો સંશય કેમ થાય છે ? અને જો આત્માનો સંશય જ છે. તો પછી “હું છું” એવો નિર્ણયાત્મક બોધ કોને થાય છે ? ||૧૫૫૬॥ વિવેચન - વળી પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઈન્દ્રભૂતિને સમજાવતાં કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! જો “આત્મા નથી” આવો જ બોધ તમારો છે તો પછી “આ હું છું” એવા પ્રકારનો ‘અદં’’ પણાનો બોધ તમને જે થાય છે તેને તમે કેમ માનો છે ? કારણ કે સામે વિષય હોય તો જ તે વિષયવાળું (એટલે વિષયી) એવું જ્ઞાન ઉત્પન્ન થાય. જેમકે ઘટપટ આદિ વિષય ભૂત પદાર્થો છે. તો જ તેના વિષયવાળું “આ ઘટ છે. આ પટ છે”
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy