SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ છઠ્ઠા ગણધર - મંડિક ગણધરવાદ છે એમ નહીં પરંતુ આ પ્રÜસાભાવ પણ અભાવાત્મક જ છે, ભાવાત્મક નથી. તેથી તેનું ઉદાહરણ આપવું તે અનુચિત છે, મોક્ષમાં કર્મોનો ક્ષય થાય છે પણ જીવ રહે છે તે ભાવાત્મક છે અને આ પ્રÜસાભાવ તો અભાવ સ્વરૂપ છે. માટે પ્રÜસાભાવનું ઉદાહરણ આપવું તે ઉચિત નથી. ભગવાન - હે મંડિકબ્રાહ્મણ ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે પ્રÜસાભાવ પણ સર્વથા અભાવાત્મક નથી પણ પુદ્ગલપણે ભાવાત્મક છે. જેમ ઘટ-પટનો જ્યારે પ્રધ્વંસ થાય છે ત્યારે ઘટપણે અને પટપણે જે આકૃતિવિશેષ હતી તેનો જ નાશ થાય છે. સર્વથા વસ્તુનો અભાવ થતો નથી. માત્ર ઘટ-પટપણે જ નાશ થાય છે. પણ પુદ્ગલદ્રવ્યરૂપે તો તે રહે જ છે. તેથી જેમ જીવમાં શરીરધારિત્વ આદિ સંસારિકપર્યાયોનો નાશ થાય છે પરંતુ “જીવપણું” મૂલભૂત દ્રવ્ય તો રહે જ છે. તેમ અહીં પણ ઘટ-પટપણે બનેલા પર્યાયનો જ પ્રધ્વંસ થાય છે પણ મૂલભૂત પુદ્ગલ દ્રવ્ય તો સદા રહે જ છે. તેથી “પ્રધ્વંસાભાવ” પણ ભાવાત્મક જ છે, અભાવાત્મક નથી. પ્રાગભાગ કે પ્રÜસાભાવ આ બન્ને પર્યાયને આશ્રયી છે. મૂલભૂત દ્રવ્ય તો પ્રાગભાવકાલે પણ છે અને પ્રÜસાભાવકાલે પણ છે. એટલે પ્રાગભાગ કે પ્રધ્વંસાભાવ પૂર્વાપર પર્યાયને આશ્રયી છે. ઘટ ફુટી જાય તો પણ ઠીકરાંરૂપે પણ પુદ્ગલદ્રવ્ય તો રહે જ છે. તેમ સંસારિત્વ પર્યાય નાશ પામી જાય તો પણ મુક્તિગત જીવ જીવપણે તો અનંતકાલ રહે જ છે. આ કારણથી અમે જે પૂર્વે પ્રાગભાગનું ઉદાહરણ આપ્યું હતું તથા હાલ જે પ્રધ્વંસાભાવનું ઉદાહરણ આપ્યું છે તે બન્ને ઉચિત જ છે. અનુદાહરણ સ્વરૂપ નથી. આ બન્ને ગાથામાં જે કંઈ સમજાવ્યું તે “મુક્તાવસ્થા’ કૃતક છે, પ્રયત્નજન્ય છે. એમ સમજીને કહ્યું છે. હવે પછીની ગાથામાં “ન મવત્યેવ નૃતો મોક્ષઃ'' મોક્ષ કૃતક જ નથી. પ્રયત્નજન્ય જ નથી. અનાદિ-અનંત સહજ છે એમ સમજીને ઉપરના પ્રશ્નનો ઉત્તર કહેવાય છે. ૧૮૩૭-૧૮૩૮૫ किं वेगंतेण कयं, पोग्गलमेत्तविलयम्मि जीवस्स ? । किं निव्वत्तियमहियं, नभसो घडमेत्तविलयम्मि ? ॥ १८३९ ॥ ( किं वैकान्तेन कृतं, पुद्गलमात्रविलये जीवस्य ? | किं निर्वर्तितमधिकं नभसो घटमात्रविलये ॥ ) ગાથાર્થ - પુદ્ગલમાત્રનો વિલય થયે છતે જીવમાં એકાન્તે શું નવું કરાયું ? ઘટમાત્રનો વિલય થયે છતે આકાશમાં શું અધિક નવું કરાયું ? ૧૮૩૯૫
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy