SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ છટ્ટા ગણધર - મંડિક ૪૦૯ મંડિકબ્રાહ્મણ - હે ભગવાન્ ! આ રીતે વિચારતાં તો મોક્ષ નિત્ય રહેશે નહીં. પરંતુ અનિત્ય થઈ જશે. અર્થાત્ વિનાશી થશે. (મોક્ષમાં ગયેલો જીવ મોક્ષ અનિત્ય હોવાથી ફરીથી સંસારમાં આવશે, કારણ કે મોક્ષ એ કૃતક છે, કૃત્રિમ છે. અર્થાત્ આદિવાળો છે. ઘટ-પટની જેમ, તત્વાદિસ્વીત્ શબ્દમાં જે આદિશબ્દ છે તેનાથી “પ્રયત્નોત્તરીયશવ' એટલે પ્રયત્નગર્વ હેતુ પણ સમજી લેવો. મોક્ષ એ પ્રયત્ન વડે કરાય છે. માટે ઘટપટની જેમ અંત પણ પામશે જ. આમ મોક્ષ નિત્ય સિદ્ધ નહીં થાય. અનિત્ય થઈ જશે. તેના અનુમાનપ્રયોગો આ પ્રમાણે છે - मोक्षः अनित्यः, कृतकत्वाद् घटपटवत् मोक्षः अनित्यः, प्रयत्नजन्यत्वाद् घटपटवत् જે જે કૃત્રિમ હોય છે અથવા પ્રયત્નજન્ય હોય છે તે તે અનિત્ય જ હોય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થો. (આ અન્વયવ્યાપ્તિ અને અન્વયઉદાહરણ થયું.) જે જે અનિત્ય હોતું નથી અર્થાત્ નિત્ય હોય છે તે તે કૃત્રિમ હોતું નથી તથા પ્રયત્નજન્ય પણ હોતું નથી. જેમકે આકાશ. (આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું.) આ મોક્ષ પણ કૃત્રિમ અને પ્રયત્નજન્ય છે. (આ ઉપનય થયો) તેથી મોક્ષ અવશ્ય અનિત્ય જ છે, વિનાશી જ છે, અંત પામનાર છે. (આ નિગમન થયું). ઉપરના અનુમાન પ્રમાણે મોક્ષ અનિત્ય છે આમ સિદ્ધ થાય છે. ભગવાન - હે મંડિક બ્રાહ્મણ ! તમારી વાત ખોટી છે. તમારા બન્ને હેતુઓ “અનેકાન્તિક છે, વ્યભિચારી હેત્વાભાસ છે.” કારણ કે આ બન્ને હેતુઓ વિપક્ષમાં (સાધ્યના અભાવમાં) પણ જાય છે. કારણ કે “પ્રäસાભાવ” નામનો જે અભાવ છે તે સાદિ-અનંત છે. તેમાં તત્વ અને પ્રયત્નઝન્યત્વ આ બન્ને હેતુઓ વર્તે છે છતાં “અનંત” છે. અર્થાત્ અવિનાશી છે. એટલે તમારા અનુમાનનું સાધ્ય જે “અનિત્ય” છે તેના અભાવમાં એટલે વિપક્ષમાં બન્ને હેતુઓ જાય છે. માટે અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. તેથી વ્યાપ્તિ થતી નથી. જે જે કૃત્રિમ હોય, પ્રયત્નજન્ય હોય તે તે અનિત્ય જ હોય એવો નિયમ નથી. નિત્ય પણ હોઈ શકે છે. જેમકે પ્રધ્વસાભાવ. તેની જેમ મોક્ષ પણ સાદિવાળું હોવા છતાં પણ અનંત-અવિનાશી-નિત્ય હોઈ શકે છે. જો પ્રધ્વસાભાવને અનિત્ય માનો તો જે ઘટ-પટનો પ્રધ્વંસ થયો, તે પ્રધ્વસ ચાલ્યો જવાથી પુનઃ તે ઘટ-પટાદિ પદાર્થો પોતાના અસલી ઘટ-પટ સ્વરૂપે પાછા આવવાનો પ્રસંગ આવે પણ તે ઘટ-પટ પુનઃ પાછા આવતા નથી. માટે પ્રખ્વસાભાવ અનિત્ય નથી પણ નિત્ય છે. મંડિક બ્રાહ્મણ - હે ભગવાન્ ! પૂર્વે કહેલો પ્રાગભાવ એ જ એકલો અભાવાત્મક
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy