________________
૪00
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
एस्सेण तत्तिउच्चिय, जुत्तो जं तो वि सव्वभव्वाणं । जुत्तो न समुच्छेओ, होज मई कहमिणं सिद्धं ॥१८२९॥ भव्वाणमणंतत्तणमणंतभागो व किह व मुक्को सिं । कालादओ व मंडिय ! मह वयणाओ व पडिवज ॥१८३०॥ ( यच्चातीतानागतकालौ, तुल्यौ यतश्च संसिद्धः । एकोऽनन्तभागो, भव्यानामतीतकालेन ॥) एष्यता तावानेव युक्तो यत्ततोऽपि सर्वभव्यानाम् । युक्तो न समुच्छेदो, भवेद् मतिः कथमिदं सिद्धम् ॥) भव्यानामनन्तत्वमनन्तभागो वा कथं वा मुक्त एषाम् । कालादय इव मण्डिक ! मम वचनाद् वा प्रतिपद्यस्व ॥)
ગાથાર્થ - જે કારણથી અતીતકાલ અને અનાગતકાલ બને અનંત-અનંત છે અને પરસ્પર તુલ્ય છે. ભૂતકાલ વડે ભવ્ય જીવોની રાશિનો એક અનંતમો ભાગ જ સિદ્ધિપદને પામ્યો છે. તેવી જ રીતે ભવિષ્યકાલ વડે પણ તેટલો જ (અનંતમો) ભાગ જ સિદ્ધિપદને પામવાનો છે. તે કારણથી સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ થઈ જશે. આ વાત યોગ્ય નથી. કદાચ એવો પ્રશ્ન થાય કે તમારી આ વાત કેવી રીતે માનવી ? /૧૮૨૮-૧૮૨૯ll
ભવ્યો અનંત છે અને તેનો અનંતમો ભાગ જ મોક્ષે જશે” આ વાત કેવી રીતે સિદ્ધ થાય ? ઉત્તર - કાલ અને આકાશની જેમ સર્વભવ્યોનો ઉચ્છેદ થતો નથી તેમ તમે સ્વીકારો, અથવા મારા વચનથી આ વાત છે મંડિક ! તમે સ્વીકારો. I/૧૮૩oll
વિવેચન - જ્યારે જ્યારે ભગવાનને પૂછો ત્યારે ત્યારે એક નિગોદના અનંતમાં ભાગે જ જીવો મોક્ષે ગયા છે. તેથી સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ થશે નહીં. આ વાત કેવી રીતે માનવી? આ વાતમાં પ્રમાણ શું? તેનો ઉત્તર આ ત્રણ ગાથાઓમાં છે. આજ સુધી વીતી ગયેલો = પસાર થયેલો જે કાલ છે તે અતીતકાલ કહેવાય છે. તે અનંતો કાલ ગયો છે તથા જે કાલ હજુ હવે આવવાનો છે તે અનાગતકાલ અર્થાત્ ભવિષ્યકાલ કહેવાય છે. તે પણ અનંતો કાલ આવવાનો છે એટલું જ નહીં પરંતુ અતીતકાલ અને અનાગતકાલ અનંત તો છે પણ પરસ્પર તુલ્ય પણ છે.' ૧. આ સામાન્ય વિધાન છે. વિશેષપણે વિચારીએ તો અતીતકાલ કરતાં અનાગતકાલ અનંતગુણો કહેલો છે. નવતત્ત્વ ગાથા ૫૪. અહીં અતીત કે અનાગત એમ બન્ને કાલ અનંત હોવાથી સામાન્યપણે તુલ્ય કહ્યા છે આમ સમજવું.