SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ છઠ્ઠા ગણધર - મંડિક ૩૯૭ પણ સમ્યજ્ઞાન અને સભ્યતા પૂર્વક કરાતી સમ્યક્ઝારિત્રાત્મક ક્રિયાથી અભાવ થાય, તો તેમાં શું દોષ? વસ્તુમાં રહેલા સ્વભાવો બે જાતના હોય છે. કોઈ સ્વભાવ અનાદિઅનંત અને કોઈ સ્વભાવ અનાદિ-સાન્ત, જેમ જીવમાં રહેલો ચૈતન્ય સ્વભાવ અનાદિઅનંત છે પરંતુ આયુષ્યકર્મજન્ય જીવનાત્મક “જીવત્વ” સ્વભાવ અનાદિ સાત્ત છે. સકર્મકાવસ્થાસ્વરૂપ મૂર્તત્વસ્વભાવ અનાદિ સાત્ત છે. છઘસ્થસ્વભાવ અનાદિ સાત્ત છે. તેમ ભવ્યત્વ સ્વભાવ અનાદિ-સાન્ત હોય તો તેમાં કોઈ દોષ નથી. II૧૮૨પા. અહીં ઘટાભાવ નામનો સ્વભાવ જેમ અનાદિ-સાત્ત છે તેમ ભવ્યત્વ સ્વભાવ પણ અનાદિ સાત્ત છે. આમ જે કહ્યું તે બાબતમાં પ્રશ્ન-ઉત્તર કહે છે - अणुदाहरणमभावो, खरसंगं पिव मई न तं जम्हा । भावोच्चिय स विसिट्ठो, कुम्भाणुप्पत्तिमेत्तेणं ॥१८२६॥ (अनुदाहरणभावः खरशृङ्गमिव मतिर्न तद् यस्मात् । भाव एव स विशिष्टः कुम्भानुत्पत्तिमात्रेण ॥) ગાથાર્થ - આ અનુચિત ઉદાહરણ છે. કારણ કે ઘટાભાવ એ ખરઝંગની જેમ “અભાવાત્મક” છે. આવી મતિ શિષ્યની થાય તો તે બરાબર નથી. કારણ કે આ ઘટાભાવ એ પણ ભાવાત્મક છે. માત્ર ઘટની અનુત્પત્તિરૂપે જ તે પ્રાગભાવપણે અભાવાત્મક છે. (પણ સર્વથા અભાવાત્મક નથી) I/૧૮૨૬// વિવેચન - અહીં શિષ્યની (મેડિકબ્રાહ્મણની) આવી બુદ્ધિ થાય, એટલે કે આવા પ્રકારનો પ્રશ્ન કરે કે તમે ઉપરની ગાથામાં “ઘટના પ્રાગભાવ” નું જે ઉદાહરણ આપ્યું છે તે બરાબર નથી. કારણ કે જીવ એ એક સત્ વસ્તુ છે. તેથી તે જીવમાં રહેલું ભવ્યત્વ એ એક સત્ વસ્તુનું સ્વરૂપ હોઈ ભાવાત્મક છે. જ્યારે તમે જે ઘટના પ્રાગભાગનું ઉદાહરણ આપો છો, તે તો ખરઝંગની જેમ અવસ્તુસ્વરૂપ હોવાથી અસત્ = અભાવાત્મક છે. દૃષ્ટાન્ત અભાવાત્મક છે અને દાન્તિક ભાવાત્મક છે. માટે તે અનુચિત અર્થાત્ અયોગ્ય ઉદાહરણ કહેવાય છે. આવો પ્રશ્ન કદાચ તમને થાય તો તે પ્રશ્ન ખોટો છે. કારણ કે ઘટનો જે પ્રાગભાવ છે તે ખરશ્ચંગની જેમ સર્વથા શૂન્યાત્મક નથી. અવસુસ્વરૂપ નથી. પણ વસ્યાત્મક છે. તે આ પ્રમાણે - ઘટ બનવાના કારણભૂતપણે પ્રવર્તેલા પુદ્ગલોના સંઘાત સ્વરૂપે માટીમયપણે વિદ્યમાન વસ્તુસ્વરૂપ છે. પરંતુ જેમ ખરશૃંગનો સર્વથા અભાવ છે તેમાં કોઈ વસ્તુસ્વરૂપ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy