SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ છઠ્ઠા ગણધર - મંડિક ૩૮૯ શરીરાદિ કાર્ય છે. માટે તેનું કોઈક કરણ છે. આવા પ્રકારનું કરણ છે તે જ કર્મ છે. માટે કર્મ નથી એમ નહીં, પરંતુ અતીન્દ્રિય હોવા છતાં પણ તે કર્મ અવશ્ય છે અને તે કરણ છે. આ વાત સમજાવવા માટે બીજું અનુમાન પણ કહે છે ‘‘આત્મશરીરનક્ષત્ર્યમ્, વિદ્યમાનતામેવ, તૃ-ાર્ય રૂપાત્, ભાતયટવત્ આત્મા અને તેનાથી બનેલું આ શરીર આ બન્ને વસ્તુઓ અવશ્ય વિદ્યમાન કરણવાળી છે. કારણ કે તે બન્નેમાં એક કર્તા અને એક કાર્ય સ્વરૂપ છે તેથી, જ્યાં જ્યાં કર્તા-કાર્ય ભાવ હોય છે ત્યાં ત્યાં અવશ્ય કરણ હોય જ છે. જેમકે કુલાલ એ ઘટનો કર્તા છે અને ઘટાદિ એ કુલાલનું કાર્ય છે. તેથી ત્યાં દંડ-ચક્રાદિ અવશ્ય કરણ છે. તેમ અહીં આત્મા કર્તા અને શરીરાદિ કાર્ય છે. તેથી કર્તા-કાર્યભાવ હોવાથી અવશ્ય કોઈક કરણ છે. જે કરણ છે તે કર્મ છે. શરીરની રચના કરતા એવા કર્તા-સ્વરૂપ આત્માને કરણભૂત કર્મ જ હોય છે. તો કર્મની સિદ્ધિ થઈ કેમ ન કહેવાય ? અર્થાત્ કર્તા અને કાર્ય હોવાથી અવશ્ય કરણ છે જ અને તે કરણસ્વરૂપે કર્મની અવશ્ય સિદ્ધિ જાણવી. 11 કર્મની સિદ્ધિ માટે ત્રીજું અનુમાન પણ આ જ ગાથામાં સમજાવે છે. નાનાવિયિા: નવત્ય:, ચેતનારવ્યક્તિયા પષાત્, વૃષ્યાનિયિાવત્, યન્ત્ર તામાં પત્ન, તસ્મૈવ, દાનશીયળ-તપ આદિ જે જે પુણ્યની અથવા હિંસા-જુઠ-ચોરી આદિ જે જે પાપની ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ અવશ્ય શુભ-અશુભ ફળવાળી છે. કારણ કે તે ચેતન વડે આરંભાયેલી ક્રિયાસ્વરૂપ છે. જેમ ખેતી-વેપાર-રસોઈ આદિની ક્રિયા. જેમ ખેતીની, વેપારની અને રસોઈ આદિની ક્રિયા ચેતન એવો જીવ બુદ્ધિપૂર્વક આરંભે છે. તેથી તેનું ફળ તેના કર્તાના મનમાં ધાન્યની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અને ભોજનની પ્રાપ્તિરૂપ અવશ્ય હોય જ છે. તે માટે જ તે કરે છે. તેમ દાનાદિ શુભક્રિયાઓનું અને હિંસાદિ અશુભ ક્રિયાઓનું પણ અવશ્ય કંઈકને કંઈક ફળ છે. તે ક્રિયાઓનું જે ફળ છે તે પુણ્ય અને પાપરૂપ બે પ્રકારનું કર્મ છે. આ રીતે કર્મ નામનું તત્ત્વ છે એમ હે મંડિકબ્રાહ્મણ ! તમે અગ્નિભૂતિની જેમ સ્વીકારો અને જો કર્મ છે તો તે ભલે અતીન્દ્રિય હોય, પણ કરણ હોઈ શકે છે. માટે આ જીવને કર્મનો બંધ પણ અવશ્ય છે અને તેના નાશના ઉપાયો સેવવાથી મુક્તિ પણ અવશ્ય છે જ. ૧૮૧૬॥ જે બે પદાર્થનો સંબંધ અનાદિ હોય છે તે બેનો સંબંધ ભાવિકાલમાં અનંત જ હોય એટલે કર્મોનો અંત આવે જ નહીં અને મુક્તિ થાય જ નહીં આવું તમે ગાથા ૧૮૧૧ માં પૂર્વે કહેલું તે બરાબર નથી. અર્થાત્ ખોટું છે તે સમજાવતાં કહે છે -
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy