________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
અનાદિનો છે. તેમાં વિષય-કષાય-પ્રમાદ-પૂર્વબદ્ધ કર્મોદયજન્ય વિકારો આદિ કોઈપણ કારણો નથી જ. તેથી કારણ વિના તે શુદ્ધ કેવલ આત્માને કર્મનો બંધ કેમ થાય ? જેમ આકાશ અનાદિનું સ્વયં છે જ, તેમાં કર્મબંધનાં કોઈ કારણો નથી તેથી તે આકાશને કર્મ બંધાતું નથી. તેમ પૂર્વકાલમાં કર્મ વિનાનો કેવલ એકલો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ જીવ માત્ર જ અનાદિનો છે. આવા જીવને કર્મનો બંધ કેમ થાય ? અર્થાત્ ન થાય.
૩૮૦
હવે કદાચ એમ કહો કે કેવલ એકલો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ આત્મા જ માત્ર અનાદિનો છે. તેમાં કર્મબંધ થાય તેવાં કોઈ કારણો નથી. છતાં નિષ્કારણ એવો પણ આ કર્મબંધ થાય છે. આમ જો કહેશો તો મોક્ષમાં ગયેલા જીવોને પણ ફરીથી તે કર્મનો બંધ થશે જ. નિષ્કારણતા હેતુ ત્યાં પણ અવિશેષ (સમાન) જ છે અને જો મુક્તજીવને પણ કર્મનો બંધ થતો હોય તો મુક્તજીવોનું ફરીથી સંસારમાં આગમન થાય અને જન્મ-જરા-મરણ આદિનાં દુઃખો પામે અને જો આમ જ હોય મોક્ષ ઉપર અવિશ્વાસ જ થાય. II૧૮૦૭૫ होज्ज व निच्चमुको बंधाभावम्मि को व से मोक्खो ? । न हि मुक्कव्ववएसो, बंधाभावे मओ नभसो ॥१८०८ ॥
( મવેત્ વા નિત્યમુતો, વન્ધામાવે જો વા તસ્ય મોક્ષ ? । न हि मुक्तव्यपदेशो, बन्धाभावे मतो नभसः ॥ )
ગાથાર્થ - અથવા આ આત્મા નિત્યમુક્ત જ છે અથવા બંધના અભાવમાં તેનો મોક્ષ થયો એમ પણ કેમ કહેવાય ? કારણ કે બંધ વિના મુક્તપણાનો વ્યવહાર આકાશની જેમ આત્માને સંભવતો નથી. ૧૮૦૮ll
વિવેચન - ઉપર સમજાવ્યું તેમ જીવ જો સ્વયં અનાદિનો હોય અને તે પણ કર્મ વિનાનો હોવાથી શુદ્ધ-બુદ્ધ અને નિર્મળ જ હોય અને કોઈપણ જાતની મલીનતા તે આત્મામાં ન જ હોય તો તેને કર્મબંધ થતો જ નથી તેથી તે “નિત્યમુક્ત” જ છે. અર્થાત્ સદા કર્મરહિત જ છે.
અથવા આવા પ્રકારના આ જીવને અત્યન્ત નિર્મળતા જ હોવાથી કર્મનો બંધ ઘટતો નથી અને જેને બંધ થયો હોય તેને જ તે બંધનમાંથી છુટવાપણા રૂપ મોક્ષનો વ્યવહાર ઘટે. આ આત્મા જો પ્રથમથી જ એકલો છે, શુદ્ધ-બુદ્ધ-નિર્મળ છે તો તેને કર્મનો બંધ થયો
પણ નથી અને થતો પણ નથી. તેથી તેનો “મોક્ષ થયો” આમ મોક્ષનો વ્યવહાર પણ કેમ ઘટે ? જેમ કોઈથી નહીં બંધાયેલા એવા આકાશને “મુક્તિનો” વ્યવહાર સંભવતો