________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૭૯
ગાથાર્થ - કર્મની પૂર્વે આત્માની ઉત્પત્તિ અહેતુક હોવાથી ખરઝંગની જેમ સંભવતી નથી અને નિષ્કારણ જેની ઉત્પત્તિ હોય તેનો નાશ પણ નિષ્કારણ જ હોય છે. /૧૮૦૬/l
વિવેચન - ઉપરની ગાથામાં ત્રણ પક્ષો પાડેલા છે. ત્યાં પ્રથમ પક્ષને આશ્રયી દૂષણ આપતાં મંડિકબ્રાહ્મણ કહે છે કે “જો પહેલાં જીવ હતો અને પછીથી કર્મ લાગ્યું” આ પ્રથમ પક્ષ માનીએ તો તે અયુક્ત છે. કારણ કે “કર્મ” નામના કારણ વિના આત્માની ઉત્પત્તિ થાય જ કેમ ? સખ-દુ:ખ. રાજા-રંક, રોગ-નિરોગ વગેરે બધું કારણથી જ થાય છે. જેને કોઈ કારણ નથી તેની ઉત્પત્તિ સંભવતી નથી. જેમ ખરફ્રંગ. આ રીતે અહેતુકતાથી જેમ ખરશ્ચંગની ઉત્પત્તિ સંભવતી નથી, તેમ કર્મ નામનું કારણ ન હોવાથી અહેતુકતાના કારણે કેવલ એકલા આત્માની કર્મની ઉત્પત્તિની પૂર્વે પ્રથમ ઉત્પત્તિ થાય એ સંભવતું નથી.
જેની જેની ઉત્પત્તિ થતી દેખાય છે. તે તે પદાર્થ નિહેતુક હોતા નથી. જેમ ઘટની ઉત્પત્તિ થાય છે તો કુલાલ-માટી-દંડચક્રાદિ હેતુઓ હોય જ છે. માટે “કારણ વિના સર્વ પ્રથમ આત્માની ઉત્પત્તિ અસંભવિત છે” અને કદાચ માનો કે “કારણ વિના એમને એમ સ્વતંત્રપણે આત્માની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો જેની ઉત્પત્તિ નિષ્કારણ હોય તેનો નાશ પણ નિષ્કારણ જ થાય. તેથી આત્માનો નિષ્કારણ અચાનક નાશ પણ માનવો પડે. માટે આત્મા કર્મની પૂર્વે નિષ્કારણ ઉત્પન્ન થયો હોય આ પ્રથમ પક્ષ બરાબર નથી. ll૧૮૦૬/
अहवा अणाइच्चिय सो निक्कारणओ न कम्मजोगो से । अह निक्कारणओ सो, मुक्कस्स वि होहिइ स भुजो ॥१८०७॥ (अथवाऽनादिरेव स निष्कारणको न कर्मयोगस्तस्य । ૩થ નિષ્કાર: 1:, મુવતસ્થાપિ ભવિષ્યતિ સ મૂથ: I)
ગાથાર્થ - અથવા તે આત્મા જો અનાદિનો હોય, તો નિષ્કારણતાને લીધે તે આત્માને (આકાશની જેમ) કર્મનો સંયોગ ઘટે નહીં અને નિષ્કારણ એવો સંજોગ જો માનો તો મુક્તજીવને પણ ફરીથી તે કર્મનો યોગ થાય એમ માનવું પડે. /૧૮૦૭l
વિવેચન - હવે કદાચ એવો બચાવ કરો કે “કર્મનો યોગ થયા પહેલાં આત્મા છે” પણ તેની ઉત્પત્તિ જ નથી. અનાદિકાળથી આ આત્મા આકાશની જેમ સ્વયં છે જ, તેની ઉત્પત્તિ જ નથી. તો પછી સહેતુક ઉત્પત્તિ છે કે નિર્દેતુક ઉત્પત્તિ છે ? આવા વિકલ્પો (ભદો) પાડવાથી શું લાભ ? કંઈ જ નહીં. આવા પક્ષો પાડવાના રહેતા જ નથી. આત્માની ઉત્પત્તિ જ નથી. અનાદિકાળથી સ્વયં છે જ. આવું જ કહેશો તો શુદ્ધ કેવલ એકલો આત્મા