________________
૩૭૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પાઠ જીવને કર્મોનો બંધ પણ છે અને કર્મોથી મુક્તિ પણ છે. આમ બંધ-મોક્ષના અસ્તિત્વનું વિધાન કરે છે.
ઉપર કહેલાં અને પરસ્પર વિરુદ્ધ અર્થને સમજાવતાં એવાં વેદોના પદોને દેખીને તમને આ સંશય થયો છે. પરંતુ તમારો આ સંશય બરાબર નથી, અનુચિત છે. કારણ કે “સ ષ વિપુ' વગેરે પદોવાળો જે પ્રથમ પાઠ છે. તેનો તમે જે અર્થ કરો છો તે અર્થ સાચો નથી. તમે સાચો અર્થ જાણતા નથી. તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. (જે હવે પછીની ગાથામાં કહેવાય છે.) I/૧૮૦૩-૧૮૦૪ll
तं मन्नसि जइ बंधो, जोगो जीवस्स कम्मुणा समयं । पुव्वं पच्छा जीवो, कम्मं व समं व ते होज्जा ? ॥१८०५॥ (વં મચ ય વળ્યો, યોગી નીવી વર્મUTT સમ્િ | પૂર્વ પશુઝીવ: વર્ષ વા સકં વા તે મવેતામ્ ? )
ગાથાર્થ - તમે મનમાં આવા વિચાર કરો છો કે જો આ જીવને કર્મનો બંધ થતો હોય તો આ જીવનો તે કર્મની સાથેનો યોગ કેવી રીતે ઘટે ? શું પહેલો જીવ અને પછી કર્મ, કે શું પૂર્વે કર્મ અને પછી જીવ, કે શું બને સાથે હોય ? ll૧૮૦પી
વિવેચન - હે મંડિક ! તમે વેદપદોના સાચા અર્થને તથા ગાથા ૧૮૦૪ ના ઉત્તરાર્ધમાં લખેલા ર શબ્દથી તેની પાછળની યુક્તિને પણ જાણતા નથી. તેથી સંદેહ થયેલ છે. હે આયુષ્યમાન્ મંડિક ! તમે મનમાં આવા આવા વિચાર કરો છો.
- જીવને કર્મ સાથે બંધ થાય છે. આમ જો બંધતત્ત્વ માનીએ તો તે બન્નેનો યોગ (મીલન) આદિવાળું માનવું કે આદિ વિનાનું અનાદિનું માનવું ? હવે જો આદિવાળું માનીએ તો પણ શું પહેલો જીવ ઉત્પન્ન થાય છે અને પછી કર્મ લાગે છે ? અથવા શું પહેલું કર્મ ઉત્પન્ન થાય છે અને પછી આત્મા ઉત્પન્ન થાય છે ? અથવા શું બન્ને એકસાથે ઉત્પન્ન થાય છે? આમ ત્રણ પક્ષો હોઈ શકે છે. ત્યાં એકે એક પક્ષમાં કંઈક ને કંઈક દોષ જ દેખાય છે. તે હવે પછીની ગાથામાં સમજાવાય છે. ll૧૮૦પા.
न हि पुव्वमहेऊओ, खरसंगं वाऽऽयसंभवो जुत्तो । निक्कारणजायस्स य निक्कारणउ च्चिय विणासो ॥१८०६॥ (न च पूर्वमहेतोः खरशृङ्गमिवात्मसम्भवो युक्तः । निष्कारणजातस्य च निष्कारणक एव विनाशः ॥)