________________
૩૬૮ પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ છે તે પટમાં નથી અને પટમાં જે શીતત્રાણતા છે તે ઘટમાં નથી. માટે અસદેશ છે. છતાં ઘટ પણ પુદ્ગલદ્રવ્ય છે, પટ પણ પુદ્ગલદ્રવ્ય છે. આમ દ્રવ્યપણે બને સમાન છે. ઘટ પણ અસ્તિસ્વરૂપ છે, અને પટ પણ અસ્તિસ્વરૂપ છે. ઘટ પણ પ્રમેય છે, પટ પણ પ્રમેય છે. આમ સામાન્ય ધર્મોથી ઘટ-પટ સમાન પણ છે.
દેવદત્ત અને ગવાદિ પશુ, શરીરની રચનાથી, ખોરાકથી, પ્રકૃતિથી ભિન્ન છે. પરંતુ દ્રવ્યપણે. અસ્તિપણે, પ્રમેયપણે, જીવપણે સમાન પણ છે. આ રીતે સંસારવતી એકે એક વસ્તુ પોતે પોતાની સાથે પણ ભૂત-ભાવી કાલની અંદર કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન એમ બને છે. તથા કોઈપણ વિવક્ષિત એવી એક વસ્તુ વિવક્ષિત એવી બીજી વસ્તુની સાથે પણ અસ્તિત્વાદિ કેટલાક સામાન્ય ધર્મોથી સમાન પણ છે અને વિશેષ ધર્મોથી અસમાન પણ છે. સર્વે પદાર્થો અર્થાત્ ત્રણે ભુવન પરસ્પર સમાન અને અસમાન બને ભાવવાળાં છે તો પછી માત્ર પોતાના જ એક પૂર્વભવની સાથે ઉત્તરભવની સમાનતા અને અસમાનતાનું તો પૂછવું જ શું? બને ભાવો હોય જ છે. તેથી તે સુધર્મ! આ સંસારમાં રહેતી સર્વે પણ વસ્તુઓ પૂર્વપર્યાય અને ઉત્તર પર્યાય વડે નાશ અને ઉત્પાદવાળી છે તથા દ્રવ્યરૂપે ધ્રુવ છે તેથી પોતે પોતાની સાથે પણ સમાન-અસમાન બને છે. તથા વિવક્ષિત એક વસ્તુ ઈતર વસ્તુની સાથે કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન એમ બન્ને પ્રકારે છે. છેલ્લે છેલ્લે જડ અને ચેતન જેવી અત્યન્ત અસમાન દેખાતી વસ્તુ પણ જેમ જડતાથી અને ચેતનતાથી ભિન્ન છે તેમ વસ્તુપણે, દ્રવ્યપણે, સ્વસ્વરૂપને આશ્રયી અસ્તિપણે, જાણવાલાયક એવા પ્રમેયધર્મપણે સમાન પણ અવશ્ય છે. તેથી આ ભવ અને પરભવનું શરીર, શરીરપણે સમાન છતાં સ્ત્રી-પુરુષપણે મનુષ્ય-પશુપણે ભિન્ન પણ હોઈ શકે છે. II૧૭૯૪-૧૭૫ની
તેથી ઉપરોક્ત સર્વ વાતનો સાર શું આવ્યો ? તે કહે છે - को सव्वहेव सरिसो, असरिसो वा इहभवे परभवे वा । सरिसासरिसं सव्वं, निच्चानिच्चाइरूवं च ॥१७९६ ॥ (कः सर्वथैव सदृशोऽसदृशो वेहभवे परभवे वा ।
શાસાં સર્વ, નિત્યનિત્યાદ્વિરૂપૐ )
ગાથાર્થ - કયો પદાર્થ આ ભવમાં કે પરભવમાં સર્વથા એકાન્ત સમાન જ હોય એવો છે? કે અસમાન જ હોય એવો છે ? એવો કોઈ પદાર્થ નથી. પરંતુ સર્વે પણ પદાર્થો