________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૭ તેથી વસ્તુ પોતે પોતાના જ પૂર્વધર્મો વડે પછીના ધર્મોની સાથે સર્વથા સમાન હોતી નથી. બાકી સામાન્ય ધર્મો વડે તો સકલ એવા ત્રણે ભુવનની સદેશતા છે. /૧૭૯પ
વિવેચન - કેવલ એકલી પારભવિક શરીરાદિની રચના માત્ર જ આ ભવના શરીરાદિની રચનાથી સદેશ હોતી નથી, પરંતુ ભિન્ન પણ હોય છે તથા તે જ વસ્તુ ત્રિપદીવાળી છે. આમ નથી. પરંતુ તે સુધર્મ ! ત્રણે ભુવનની અંદર રહેલી ઘટ-પટ આદિ સમસ્ત વસ્તુઓ સમાન અને અસમાન એમ બન્ને જાતના ભાવવાળી જ હોય છે. અને ત્રિપદીવાળી જ હોય છે. ત્યાં કેટલાક ઉત્તરકાલીન પર્યાયો વડે સન્મવડું = ઉત્પન્ન થાય છે અને કેટલાક પૂર્વકાલીન પર્યાયો વડે વેફ = ચેતિ = વ્યય પામે છે અને એ જ રીતે કેટલાક ધર્મોથી અત્યન્ત તે જ અવસ્થાવાળી પણ રહે છે. જેમકે મૃર્લિંડમાંથી બનતા ઘટમાં પ્રતિક્ષણે મૃત્યિંડ, સ્થાસ, કોશ, કુશૂલ અને ઘટ ઈત્યાદિ આકારસ્વરૂપ અસદશ પર્યાયો વડે પૂર્વપર્યાયપણે નાશ અને ઉત્તરપર્યાયરૂપે ઉત્પાદ પ્રત્યક્ષ દેખાય છે. છતાં મૂળભૂત પુદ્ગલદ્રવ્યપણે તથા પૌદ્ગલિક ધર્મો વડે તે વસ્તુ મૃત્યિંડથી ઘટ સુધીના કાલમાં સદા કાલ ધ્રુવ પણ છે જ. આમ સર્વે પણ વસ્તુ ત્રિપદીવાળી છે. કેવલ એકલું આ ભવનું શરીર અને પારભવિક શરીર માત્ર જ સમાન છે કે અસમાન છે આમ નથી. સર્વે પણ વસ્તુઓ પોતાના જ પલટાતા વિશેષ ધર્મોને આશ્રયી અને સામાન્યધર્મોને આશ્રયી ઉત્પાદ-વ્યય અને ધૃવધર્મવાળી હોવાથી પોતે જ પોતાની સાથે અસદેશ અને સદેશ એમ બે જાતની છે. તો અન્ય વસ્તુઓની સાથે તો પુછવું જ શું? ત્યાં પણ સદેશ અને અસદેશ એમ બન્ને પ્રકાર હોય જ છે.
દેવદત્ત નામનો માણસ બાલકાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થારૂપે પલટાતો હોવાથી એક ભવમાં અસદેશ પણ છે છતાં દેવદત્તપણે તેનો તે જ છે તેથી સદેશ પણ છે. હવે જો એકભવમાં પણ અસદેશતા અને સદેશતા એમ બે ભેદ હોય તો પછી આ ભવ અને પરભવના શરીરની વચ્ચે સ્ત્રી-પુરુષપણે અસદેશતા અને સશરીરીપણા વડે સદેશતા હોય એમાં શું આશ્ચર્ય ? માત્ર એક આ ભવ-પરભવના શરીરની રચનામાં જ આમ છે એમ નહીં. પરંતુ સંસારવર્તી સમસ્ત વસ્તુઓ પોતે પોતાની જ સાથે ભૂત-ભાવિ પર્યાયને આશ્રયી કેટલાક ધર્મોથી સમાન પણ છે અને કેટલાક ધર્મોથી અસમાન પણ છે.
આવી જ રીતે કોઈપણ એક વસ્તુ પોતે પોતાની જ સાથે દેવદત્તપણે સમાન અને બાલ્ય-યુવા અને વૃદ્ધાવસ્થાપણે અસમાન છે. તેવી જ રીતે સર્વે પણ વસ્તુઓ પરસ્પર એક વસ્તુ બીજી વસ્તુની સાથે પણ સામાન્ય ધર્મોથી સમાન અને વિશેષ ધર્મોથી અસમાન એમ બન્ને પ્રકારોવાળી હોય છે. જેમકે ઘટ અને પટ. આ બન્ને પદાર્થોમાં ઘટમાં જે જલાધારતા