________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૫
પૂર્વભવ કરતાં ભવાન્તરમાં વિસશિતા પણ સંભવે છે. સદેશતા જ હોય આવો નિયમ નથી. ll૧૭૯૨ll
कम्मस्स वि परिणामो, सुहम्म ! धम्मो स पोग्गलमयस्स । हेऊ चित्तो जगओ, होइ सहावोत्ति को दोसो ॥१७९३॥ (વર્ષોfપ પરિપામ:, અથર્મન્ ! થઈ. સ. પુરાતમથી ! હેતુશરો નાતો ભવતિ સ્વભાવ રૂતિ ો રોષ ? )
ગાથાર્થ - અથવા હે સુધર્મન્ ! પુગલમય એવા કર્મના પરિણામરૂપ તે સ્વભાવ પુગલનો ધર્મ હો. (એમાં અમારી સમ્મતિ છે, પરંતુ તે પુગલનો ધર્મ જગતની ચિત્રવિચિત્રતાનું કારણ છે. તેથી તે સ્વભાવ સદેશ નથી પણ ચિત્ર-વિચિત્ર છે. ૧૭૯૩
વિવેચન - આ “સ્વભાવ” એ વસ્તુનો ધર્મ છે આવું હે સુધર્મ ! તમે જો માનો છો તો ત્રીજો પક્ષ સ્વીકાર્યો છે. તેમાં અમારી સમ્મતિ છે. તમારો આ સ્વીકાર બરાબર છે. તે માન્યતામાં કોઈ દોષ નથી. કારણ કે આ માન્યતા યુક્તિયુક્ત છે. પુદ્ગલાસ્તિકાય નામનું એક નિર્જીવ દ્રવ્ય છે. જેને જડ દ્રવ્ય કહેવાય છે. તેના આઠ ભેદ છે જેને આઠ વર્ગણા કહેવાય છે. ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાર્મણવર્ગણા એવાં અનુક્રમે તે આઠ વર્ગણાનાં નામો છે. તેમાં આઠમી કાર્મણવર્ગણા નામનું જે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે તેના પરિણામોત્તર થવા સ્વરૂપ અર્થાત્ કર્મરૂપે રૂપાન્તર થવા સ્વરૂપ પુદ્ગલદ્રવ્યનો જ આ ધર્મ છે. તેથી સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે આ વાત સાચી છે. કર્મરૂપે પરિણામ પામનારાં એવાં કાર્મણવણાનાં પુગલોનો આ ધર્મ છે અને પુદ્ગલધર્મસ્વરૂપ આ કર્મ જ જગતની વિચિત્રતાનું કારણ છે. કર્મના કારણે જ જગતના જીવોનાં શરીરો, ઈન્દ્રિયો, સુખ અને દુઃખો ચિત્ર-વિચિત્ર છે.
આ પ્રમાણે સ્વભાવ એ પુદ્ગલદ્રવ્યનો “કર્મ” નામનો એક પરિણામ છે, ધર્મ છે. આમ વસ્તુધર્મ માનવામાં કોઈ દોષાપત્તિ નથી. અમને પણ આ માન્ય છે. ફક્ત કર્મ નામની વસ્તુનો આવો આ સ્વભાવ “ સો મવતિ' = હંમેશાં સદશ હોતો નથી. આટલી જ અમારી અને તમારી માન્યતામાં ફરક છે. કર્મપરિણામ રૂપ આ વસ્તુધર્મ સદા સરખો ન હોવાનું કારણ એ છે કે તે કર્મબંધનાં કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ અને તેની તીવ્ર-મંદતા રૂપ અનેક પ્રકારનાં છે. તેથી તે ચિત્ર-વિચિત્ર છે. આ રીતે મિથ્યાત્વાદિ હેતુઓની વિચિત્રતાના કારણે તેનાથી થતો કર્મબંધ રૂપ આ સ્વભાવ પણ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનો છે. જેવું કર્મ બાંધ્યું હોય છે તેને અનુસાર તે કર્મના