________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૭ થાય એવું તમે માનો છો. આ ચાયને લીધે પરભવમાં સદેશતા હોય એવું તમારા વડે પૂર્વે સ્વીકારાયું છે અને હવે અહીં જ્યારે આ પ્રશ્ન કરો છો ત્યારે સ્વભાવને સિદ્ધ કરવા “પ્રવિદ્યાર" વાદળોના વિકારનું દૃષ્ટાન્ત આપો છો, આ દૃષ્ટાન્તથી તમારી પૂર્વે માનેલી માન્યતા ખંડિત થઈ જાય છે. જેમ વાદળ અને તેના વિકારો સ્વાભાવિક રીતે બને છે. તેવી રીતે જો પારભવિક શરીરની રચના પણ સ્વાભાવિક રીતે જ બનતી હોય તો વાદળના વિકારો તો પોતાના કારણભૂત પુગલદ્રવ્યો કરતાં અત્યન્ત વિલક્ષણ રીતે બને છે.
વાદળો જેમાંથી બને છે તે પૂર્વકાલીન કારણભૂત પુદ્ગલદ્રવ્યો સૂક્ષ્મ છે, અદશ્ય છે, વરાળરૂપ છે. ઉષ્ણતામાન ધર્મવાળાં છે. તેમાંથી બનતાં વાદળ બાદર, દશ્ય, ગગનસ્થિત અને શીતળતાધર્મવાળાં આમ અત્યન્ત વિલક્ષણ ધર્મવાળાં બને છે. હવે જો આ વાદળનું દૃષ્ટાન્ત શરીરની રચનામાં આપશો તો પારભવિકશરીરની રચના પૂર્વકાલીન શરીર રચનાથી અત્યન્ત વિલક્ષણ હોય છે આમ સિદ્ધ થશે. આમ સિદ્ધ થવાથી તમારી જ માનેલી સદેશતા ઉડી જશે. તેથી તમારો આ તર્ક બરાબર નથી. I/૧૭૮પી
होज सहावो वत्थु, निक्कारणया व वत्थुधम्मो वा । जइ वत्थु णत्थि, तओऽणुवलद्धीओ खपुष्कं व ॥१७८६॥ अच्चंतमणुवलद्धो वि अह तओ अत्थि, नत्थि किं कम्मं ? । हेऊ वि तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१७८७॥ कम्मस्स वाभिहाणं होज सहावोत्ति होउ को दोसो । निच्चं व सो सभावो सरिसो एत्थं च को हेऊ ? ॥१७८८॥ (भवेत् स्वभावो वस्तु, निष्कारणता वा वस्तुधर्मो वा । यदि वस्तु नास्ति, सकोऽनुपलब्धेः खपुष्पमिव ॥ अत्यन्तमनुपलब्धोऽप्यथ सकोऽस्ति, नास्ति किं कर्म ? । हेतुर्वा तदस्तित्वे यो ननु कर्मणोऽपि स एव ॥) कर्मणो वाभिधानं भवेत् स्वभाव इति भवतु को दोषः । નિત્યં વાસ સ્વભાવ:, સંશો Sત્ર ો હેતુઃ ? ) ગાથાર્થ - સ્વભાવ એ શું કોઈ વસ્તુવિશેષ છે ? નિષ્કારણતા છે ? કે વસ્તુનો કોઈ