SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ ૩૫૩ એવા આશયથી કરાતી દાન-શીયળ-તપ-ભાવનાદિ ધર્માનુષ્ઠાન સેવવારૂપ જે જે ક્રિયાઓ કરાય તે પરભવને આશ્રયી ફળવાળી થતી નથી. એટલે કે જે જે ક્રિયાઓ પુણ્યબંધ કરવા દ્વારા ભવાન્તરમાં ફળ આપનારી થાઓ એવા આશયથી જે જે દાન-પુણ્યાદિ ક્રિયાઓ કરાય છે તે બધી જ ક્રિયાઓ નિષ્ફળ છે, ફળરહિત છે અને પરભવને આશ્રયી કરાતી દાનપુણ્યાદિ ક્રિયા ફળ વિનાની હોવાથી પરભવમાં આ ભવથી વિસદેશ થાય છે આ વાત રહેતી જ નથી. કારણ કે વિસદેશતા અપાવનારું કર્મ જ બાંધ્યું નથી. તેથી પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓનું કોઈ ફળ જ નથી. એટલે ભવાન્તરમાં ફળ આપે એવું પુણ્ય-પાપ કર્મ બંધાતું જ નથી. તેથી “વૈસદૃશ્યત્વ” આવતું જ નથી. માટે “સદેશતા’ જ પ્રાપ્ત થાય છે. આ મારો પક્ષ બરાબર યથાર્થ છે. ઉત્તર ઉપરોક્ત વાત પણ બરાબર નથી. જો પરભવને આશ્રયી કરાતી દાનાદિ ધર્માનુષ્ઠાન આચરવા સ્વરૂપ સર્વ ક્રિયા નિષ્ફળ જ હોય તો પરભવમાં “સર્દશતા” જે તમોને માન્ય છે તે પણ ઘટશે નહીં. કારણ કે સ્ત્રી મરીને સ્ત્રી જ ભલે થાય પરંતુ તે સ્ત્રીપણું પ્રાપ્ત થવા માટે “સ્ત્રીવેદમોહનીયકર્મ” તો હોવું જોઈએને ? એવી જ રીતે મનુષ્ય મરીને ભલે મનુષ્ય જ થાય પરંતુ ભવાન્તરમાં મનુષ્યપણું અપાવનારું કર્મ તો હોવું જોઈએ ને ? જો તમે પરભવને આશ્રયી કરાતી સર્વે પણ ક્રિયાઓને નિષ્ફળ જ માનશો તો પુણ્યપાપ રૂપ કર્મબંધ ન થવાથી ભવાન્તરમાં સદેશતા પણ પ્રાપ્ત થશે નહીં, અર્થાત્ સદેશતા પણ ઘટશે નહીં. – તે સદેશતા પણ કોઈ કર્મ વડે જ પ્રાપ્ત થવાની હતી. તે કર્મ તમે માન્યું નહીં. કારણ કે પારવિક ફળવાળી સર્વે પણ ક્રિયાઓને તમારા વડે નિષ્ફળ સ્વીકારાઈ છે. ક્રિયાઓ નિષ્ફળ હોતે છતે કર્મબંધ થતો નથી અને કર્મબંધ વિના સર્દશતા પણ પ્રાપ્ત થશે નહીં. વિસર્દશતાને નહી માનતાં સદેશતા પણ ઘટશે નહીં. હવે કદાચ એમ કહો કે પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓ કંઈપણ ફળ આપનારી નથી. તેથી કર્મબંધ થતો નથી. કર્મ પણ નથી જ, એમને એમ ભવાન્તરમાં સદેશતા પ્રાપ્ત થાય છે. તો આવો બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો કર્મ વિના એમને એમ સદેશતા આવતી હોય તો “અકૃતાગમ અને કૃતનાશ” એવા દોષ આવશે. ભવાન્તરમાં પ્રાપ્ત થનારી સદેશતા કર્મ કર્યા વિના નિર્દેતુકપણે આવે છે એમ જો કહેવાશે અને જો નિર્દેતુક જ સર્દશતા આવતી હોય તો અકૃતાગમ કોઈપણ કર્મ કર્યા વિના સર્દશતા પ્રાપ્ત થઈ. આવો દોષ આવશે. તથા તેના સંબંધમાં સદાસત્ત્વ અને સદાઅસત્ત્વ આદિ બીજા પણ ઘણા દોષો આવે. તથા આ ભવમાં કરાયેલી તપ-જપ-સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ =
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy