SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ ૩૫૧ ગાથાર્થ - અથવા હે સૌમ્ય ! જો આ ભવ સદેશ પરભવ છે. આવું તમારા વડે સ્વીકારાયું છે તો આ ભવસરખું કર્મફળ પણ પરલોકમાં છે એમ તમે સ્વીકારો. ઉપરોક્ત વાતનો સાર એ છે કે આ ભવમાં મનુષ્યો જુદી જુદી ગતિ પ્રાપ્ત થાય તેવાં તેવાં કર્મ કરનારા છે. તેથી પરભવમાં પણ તેના ફળને ભોગવનારા જો તે છે તો અવશ્ય અસદેશના માનવી એ જ યોગ્ય છે. /૧૭૮૧-૧૭૮૨/l | વિવેચન - અથવા હે સુધર્મ ! “આ ભવ જેવો હોય છે તેવો પરભવ હોય છે” આ વાત તો તમને માન્ય છે જ. તેથી પરભવમાં કર્મફળ પણ આ ભવની સંદેશ તમે સ્વીકારો. એટલે કે આ ભવમાં ચિત્ર-વિચિત્ર એવી મન, વચન અને કાયાની શુભાશુભ ક્રિયાને અનુસારે પરભવમાં ફલ પણ ચિત્ર-વિચિત્ર સ્વીકારો. આ તર્ક અત્યન્ત સંક્ષિપ્ત રૂપે કહ્યો છે. એટલે બાલજીવોને જલ્દી સમજાય તેમ નથી. તેથી બીજી ગાથામાં આ જ તર્ક વિસ્તારથી સમજાવે છે. વિં ભવુિં = આગલી ગાથામાં શું કહ્યું? અર્થાત્ આ ગાથામાં કહેલી વાતનો સાર શું ? તે સંક્ષિપ્તને બદલે વિસ્તારથી સમજાવો. આ સંસારમાં મનુષ્યો ચિત્રવિચિત્ર (ભિન્ન-ભિન) ક્રિયા કરતા દેખાય છે. કોઈ ભગવાનની પૂજા કરતા દેખાય છે. કોઈ ભગવાનને નહી માનીને પત્થર સમજીને તોડફોડ કરતા દેખાય છે. કોઈ જીવોની રક્ષા કરતા દેખાય છે. કોઈક કસાઈનો વ્યવસાય (જીવોનો વધ) કરતા દેખાય છે. કોઈ બ્રહ્મચર્યાદિ વ્રત પાલન કરતા દેખાય છે. કોઈ વ્યભિચારાદિ સેવતા દેખાય છે. આમ પાપ અને પુણ્યની ચિત્રવિચિત્ર ક્રિયા કરતા દેખાય છે. તે જ પાપ અને પુણ્ય પરભવમાં નરકતિર્યંચ મનુષ્ય અને દેવગતિ અપાવનાર બને છે. આ રીતે નાના પ્રકારની ગતિની પ્રાપ્તિ થાય તેના હેતુભૂત ચિત્રવિચિત્ર ક્રિયા કરતા જીવો પ્રત્યક્ષ નજરોનજર દેખાય છે. તેથી તે જીવો પરભવમાં તેવી તેવી ક્રિયાના ફળને ભોગવનારા થાય છે. આમ પણ માનવું જ જોઈએ. આ રીતે જે જીવ આ ભવમાં જેવી જેવી પાપ-પુણ્યની કરણી કરે છે. તે જીવ પરભવમાં તે તે કરણીને અનુસારે તેવો તેવો જ થાય છે. “યા રૂમ તાદ્રશ: પરમ'' આ ન્યાયને અનુસારે પણ આ ભવમાં પાપપુણ્યની નાનાવિધ ક્રિયા કરનારા જીવો છે. માટે આ ભવમાં જે જીવ જેવી પુણ્ય-પાપની કરણી કરે છે. તેવા જ ફળવાળો પરભવમાં થાય છે આમ અર્થ થાય છે. તેથી ભવાન્તરમાં પણ ભિન્ન ભિન્ન ફળને પામનારા તે જીવો થાય છે. તેથી પરભવમાં વિદેશતા જ સિદ્ધ થઈ. માટે વિસદેશતા પણ માનવી એ ઉચિત છે. આ રીતે આ ભવની કરણીને અનુરૂપ ભવાન્તરની પ્રાપ્તિ થાય છે. તેથી આ ભવમાં ઉચ્ચ કરણી કરનારો જીવ પરભવમાં ઘણી
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy