________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૯ આ પ્રમાણે કર્મોની વિચિત્રતા એ જ ભવની વિચિત્રતામાં કારણ છે. આમ આ અનુમાન પ્રમાણ જાણવું. ll૧૭૭૯
પ્રશ્ન – કર્મોમાં જો ભેદ હોય તો તેના ફળરૂપે સંસારમાં પણ ભેદ (વિચિત્રતા) સંભવી શકે. પરંતુ દરેક જીવોમાં કર્મો ભિન્ન-ભિન્ન હોય, ચિત્ર-વિચિત્ર હોય ? તેમાં શું પ્રમાણ ? તેથી હવે કર્મોની ચિત્ર-વિચિત્રતામાં પ્રમાણ કહે છે.
चित्ता कम्मपरिणई, पोग्गलपरिणामओ जहा बज्झा । कम्माण चित्तया पुण, तद्धेउविचित्तभावाओ ॥१७८०॥ (चित्रा कर्मपरिणतिः पुद्गलपरिणामतो यथा बाह्या । कर्मणां चित्रता पुनस्तद्धेतुविचित्रभावात् ॥)
ગાથાર્થ – પુદ્ગલોનો પરિણામ હોવાથી બાહ્ય એવા વાદળોના વિકારોની જેમ કર્મોની પરિણતિ ચિત્ર-વિચિત્ર હોય છે. મિથ્યાત્વ વગેરે કર્મબંધના હેતુઓની ચિત્રવિચિત્રતાના કારણે કર્મોની પણ વિચિત્રતા હોય છે. /૧૭૮૦
વિવેચન - કર્મોની ચિત્ર-વિચિત્રતા જીવે જીવે હોય છે. તે વાત અનુમાનપ્રયોગ કરવાપૂર્વક સમજાવે છે કે - વર્મનાં પરિતિઃ ત્રિા , (આ પ્રતિજ્ઞા થઈ). એક-એક જીવે જીવે કર્મોની પરિણતિ ચિત્ર-વિચિત્ર હોય છે. પ્રત્યેક જીવોમાં કર્મો ભિન્ન ભિન્ન રૂપે બંધાય છે. કાશ્મણવર્ગણા ચિત્ર વિચિત્ર પરિણામરૂપે (કર્મરૂપે) પરિણામ પામે છે. કારણ કે પોપાત્રપરિણામો = કર્મ એ પણ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે અને પુદ્ગલોમાં પરિણમન પામવાનો સ્વભાવ હોય છે (આ હેતુ જાણવો). અહીં જે જે પુગલ-પરિણામાત્મક હોય છે તે તે અવશ્ય ચિત્ર-વિચિત્ર પરિણતિસ્વરૂપ જ હોય છે (આ વ્યાપ્તિ થઈ). જેમકે આકાશમાં થતાં વાદળો એ પુગલોની પરિણતિરૂપ છે માટે ચિત્ર-વિચિત્રરૂપ છે (આ ઉદાહરણ થયું). જે જે ચિત્ર-વિચિત્રરૂપે પરિણામ પામતું નથી, તે તે પુલાત્મક પણ હોતું નથી. જેમકે આકાશ. આ વ્યતિરેક વ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું. તેમ કર્મો પણ પુદ્ગલનાં બનેલાં છે માટે અવશ્ય ચિત્ર-વિચિત્ર છે. આ ઉપનય-નિગમન થયું.)
વાદળ પુદ્ગલોનો વિકાર છે. પૃથિવી-માટી પણ પુગલ છે. તેથી જેમ માટી ઘટાદિ અનેક ભાજન બનવારૂપે પરિણામ પામે છે. લાકડું એ પણ પુદ્ગલ છે તેમાંથી ખુરશી, ટેબલ વગેરે અનેક પ્રકારે ઉપભોગનાં સાધનો બનવારૂપે પરિણામ પામે છે. તેમ કર્મો એ પણ પુગલદ્રવ્ય છે. પરિણામ પામવાના સ્વભાવવાળું છે. તેથી જીવ વડે ગ્રહણ કરાયાં છતાં જીવના પરિણામને અનુસારે ચિત્ર-વિચિત્ર અનેકરૂપે પરિણામ પામે છે.