________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૭ શકે છે. સ્ત્રી પણ થઈ શકે છે અને પુરુષ પણ થઈ શકે છે. આ રીતે પુરુષનો જીવ પણ બીજા ભવમાં ત્રણે વેદે જન્મી શકે છે. તથા મનુષ્ય પણ ઘણાં પાપકર્મો કરે તો તે તે કર્મોને અનુસાર નરક અને તિર્યંચના ભાવમાં પણ જાય છે. તેથી આ ભવમાં બાંધેલુ પુણ્ય-પાપકર્મ એ ભવાન્તરનું બીજ છે. પણ સ્કૂલ ઔદારિક શરીર એ ભવાન્તરનું બીજ નથી. ભવાન્તરના બીજભૂત જે “કર્મ” છે તે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ વડે ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારે બંધાય છે. એવું મારા વડે જ અગ્નિભૂતિ નામના બીજા ગણધરના પ્રસંગે કહેવાયેલું છે. આ પ્રમાણે હેતુભૂત (કારણરૂપે રહેલું) કર્મ ચિત્રવિચિત્ર છે. તેથી તે કર્મને અનુસાર થતી ભવરૂપી અંકુરાની ચિત્ર-વિચિત્રતા પણ ઘટી શકે છે. તેથી “કારણાનુસારે કાર્ય થાય” આ સિદ્ધાન્ત અબાધિતપણે લાગે છે. ફક્ત દૃષ્ટિ જ બદલવાની જરૂર છે. ભવાન્તરની પ્રાપ્તિરૂપી અંકુરાઓ ઉગાડવામાં આ ભવનું ભૂલશરીર તમે કારણ સમજો છો પણ ખરેખર તે કારણ નથી પણ મિથ્યાત્વાદિ હેતુઓ વડે બંધાતું કર્મ એ કારણ છે. ll૧૭૭૬-૧૭૭૭ી.
जइ पडिवन्नं कम्मं, हेउविचित्तत्तओ विचित्तं च । तो तप्फलं वि चित्तं पवज संसारिणो सोम्म ॥१७७८ ॥ (દિ પ્રતિપન્ન વર્ષ, દેવત્રત્વતો વિવિત્ર ૨ | તતસ્તત્તમપિ વિä પ્રપદસ્વ સંસારિ: સૌણ ! )
ગાથાર્થ - જો કર્મતત્ત્વ તારા વડે સ્વીકારાયું છે. હેતુની વિચિત્રતાથી તે કર્મ ચિત્રવિચિત્ર છે આમ પણ સ્વીકારાયું છે. તો પછી તેનું ફલ પણ સંસારી જીવોમાં ચિત્રવિચિત્ર હોય છે એમ હે સૌમ્ય ! તમે સ્વીકારો. ll૧૭૭૮ll
વિવેચન - ઉપરની બન્ને ગાથાઓનો ભાવાર્થ આ ગાળામાં સારરૂપે લખાય છે. હે સૌમ્ય ! જો તમે “કર્મતત્ત્વને સ્વીકારો છો તો તે તે કર્મને અનુસાર ભવાન્તરમાં ફલપ્રાપ્તિ પણ થાય છે આ વાત પણ સ્વીકારી લેવા જેવી જ છે. કારણ કે પૂર્વકાલમાં બાંધેલાં કર્મો જ તેનો સ્થિતિકાલ પાકતાં ફળ આપનારાં બને છે. આ રીતે કર્મ એ કારણ અને તેના ઉદયથી આવેલાં સારાં-નઠારાં ફળો એ કાર્ય - આમ કાર્ય કારણભાવ પણ ઘટે છે.
હવે મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ ચિત્ર-વિચિત્ર છે. જીવે જીવે જુદા જુદા બંધહેતુઓ છે. તેના કારણે થતો કર્મબંધ પણ ચિત્ર-વિચિત્ર છે. આ રીતે મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓની ચિત્ર-વિચિત્રતા હોવાથી તેનાથી બંધાતો કર્મબંધ પણ ચિત્ર-વિચિત્ર (ભિન્ન ભિન્ન) થાય છે, અર્થાત્ હેતુઓની વિચિત્રતાથી કર્મબંધની વિચિત્રતા સિદ્ધ થાય