SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ II સૌધર્મ નામના પાંચમા ગણધર II હવે સૌધર્મ નામના પાંચમા ગણધરનો વાર્તાલાપ કહેવાય છે. ते पव्वइए सोडे, सुहम्म आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१७७०॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, सुधर्म आगच्छति जिनसकाशम् । ગામિ વન્યૂ, વન્દ્રિી પાસે છે) ગાથાર્થ - તે બધા ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને સુધર્મ નામના પાંચમા પંડિત જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે હું પણ ત્યાં જાઉં, પરમાત્માને વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. ll૧૭૭all વિવેચન – એક પછી એક એમ પોતાના ચારે ભાઈઓને પરમાત્મા પાસે પ્રવ્રજિત થયેલા લોકમુખે સાંભળ્યા. તે સાંભળીને અહંકાર અને ક્રોધાદિના આવેશ તો ચાલ્યા જ ગયા. મનમાં માન્યું કે ખરેખર આ સાચા વીતરાગ, કેવલજ્ઞાની, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા જ છે. જૈનોના અંતિમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ જ છે. હું પણ જલ્દી જલ્દી તે ઉપદેશભૂમિ ઉપર જાઉં, પરમાત્માનાં દર્શન-વંદન કરું અને દર્શન-વંદન કરીને તેઓની સેવા કરું. આવું વિચારતા વિચારતા તે સુધર્મ યજ્ઞમંડપની ભૂમિથી નીકળ્યા અને પરમાત્માની ઉપદેશભૂમિ તરફ આવ્યા. ll૧૭૭ll आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१७७१॥ (મભાષિતૐ નિન, ગતિ-નર-મરવિપ્રમુવન | નાના ર ગોત્રે ૨, સર્વન સર્વજીિના ) ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુકાયેલા સર્વજ્ઞ અને સર્વદશ એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે નામથી અને ગોત્રથી સૌધર્મ બ્રાહ્મણપંડિતને બોલાવાયા. ll૧૭૭૧/ વિવેચન - પહેલાંની ગાથાની જેમ અર્થ સમજી લેવો. પરંતુ અહીં સુધર્મ નામના પાંચમા પંડિતને તેમના સુધર્મ એવા નામથી અને ગૌતમ એવા ગોત્રથી અર્થાત્ હે ગૌતમ ગોત્રીય સુધર્મ એમ સંબોધન કરીને યજ્ઞમંડપથી આવેલા સુધર્મને ભગવાને બોલાવ્યા અને સુધર્મ કંઈ પણ પૂછે તે પહેલાં જ ભગવાન તેમના મનનો સંદેહ પ્રગટ કરવા લાગ્યા. I/૧૭૭૧il.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy