________________
૩૪૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन । સ શ્રમU: પ્રવ્રાત:, પøમદ ઘvશતૈ: I)
ગાથાર્થ – જરા મરણથી મુક્ત બનેલા જિનેશ્વરપ્રભુશ્રી મહાવીરદેવ વડે વ્યક્તપંડિતનો સંશય છેદાયો, સંશય છેદાયે છતે પોતાના પાંચસો શિષ્યો સાથે તે શ્રમણ પ્રવ્રજિત થયા. //૫૭૬૯ો.
વિવેચન - પરમાત્માશ્રી મહાવીર પ્રભુ પાસે પ્રથમના બે પંડિતો અહંકાર અને આવેશપૂર્વક આવેલા. પરંતુ તેઓની ભવિતવ્યતા પાકેલી અને પરમાત્મા જેવા મહાપુરુષનું નિમિત્ત મળ્યું. તે બન્નેનો યોગ થતાં અમૃતવાણી સ્વરૂપ ઔષધથી આ બન્ને પંડિતોનો અહંકાર અને આવેશ વગેરે સ્વરૂપ મોહનો રોગ નાશ પામી ગયો અને પોતાના પરિવાર સાથે દીક્ષિત થયા. ત્યારબાદ ત્રીજા અને ચોથા પંડિતજી તો પહેલેથી જ અહંકાર અને આવેશને મુકીને જ આવેલા હતા. પોતાના બન્ને ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળ્યા, ત્યારથી જ માનાદિ ઓગળી ગયાં હતાં, તેથી શિષ્યભાવે જ પ્રભુ પાસે આવ્યા હતા. તેમાં પણ ઉત્તમ વાણીનું નિમિત્ત મળતાં જ સંશય છેદાઈ જતાં પરમાત્માના વાસ્તવિક શિષ્ય બન્યા. સંવેગ-નિર્વેદવાળી પરિણામની ધારા વધારેને વધારે નિર્મળ બનતાં પોતાના પાંચસો શિષ્યો સાથે ત્યાં જ દીક્ષિત થયા. આ પ્રમાણે આ ચોથા વ્યક્ત નામના બ્રાહ્મણપંડિતજી પ્રવ્રજ્યા લેનારા બન્યા અને પરમાત્માના ચોથા ગણધર થયા. ll૧૭૬૯.
ચોથા ગણધર શ્રી વ્યક્તજીનો વાદ સમાપ્ત થયો.
Printed & Composed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com