________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૭
ઉત્તર - ક્યારેક હિંસાની કોટિમાં ગણાય અને ક્યારેક હિંસાની કોટિમાં ન ગણાય. આ વાત કેવી રીતે સમજવી ? તો તે સમજાવે છે -
असुभपरिणामहेऊ, जीवाबाहोत्ति तो मयं हिंसा । जस्स उ न सो निमित्तं, सतोवि न तस्स सा हिंसा ॥१७६७॥ (अशुभपरिणामहेतुर्जीवाबाध इति ततो मतं हिंसा । यस्य तु न स निमित्तं, सन्नपि न तस्य सा हिंसा ॥)
ગાથાર્થ - અશુભ પરિણામના હેતુભૂત જે જીવઘાત છે તેને હિંસા કહેવાય આમ માનેલું છે. જે જીવને તે જીવઘાત અશુભ પરિણામનું નિમિત્ત બનતો નથી તેને જીવઘાત હોવા છતાં તે હિંસાની કોટિમાં ગણાતો નથી. /૧૭૬૭
વિવેચન - જીવોની થતી હિંસા આત્માને અશુભ પરિણામ લાવવામાં જો કારણ બનતી હોય તો તે જીવોની હિંસા હિંસાકોટિમાં ગણાય છે. જેમકે કસાઈ-સાપ-વાઘસિંહ આદિ પ્રાણીઓ જ્યારે જ્યારે બીજા જીવના ઘાતમાં જોડાય છે ત્યારે ત્યારે પ્રાયઃ તે ક્રિયાથી તે જીવોની ઘાતકી પરિણામ વધે છે. તેવી જ રીતે કોઈ દુષ્ટાશયવાળા મનુષ્યાદિ પણ જીવહિંસામાં વર્તતા છતા વધારે દૂર થાય છે. તેથી દ્રવ્યથી કરાતી હિંસા જો અશુભ પરિણામનો હેતુ બનતી હોય તો તે દ્રવ્યહિંસા પણ હિંસાની કોટિમાં ગણાય છે. (આ અર્થ સમજાવવામાં મૂલગાથામાં જે “મકુમપરિમેક'' પદ છે. તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. દ્રવ્યહિંસા કરવાથી આત્માના પરિણામ ઘાતકી-હિંસક, ક્રૂર અને કઠોર બને છે.
અથવા અહીં બહુવ્રીહિ સમાસ પણ થઈ શકે છે. “શુમાર મો હેતુઃ (RTG) યસ્થ ગાવાતી = સો ગીવાતો કશુમારપામહેતુ:” આત્મામાં આવેલો અશુભ પરિણામ છે કારણ કે જીવઘાતમાં છે. આ અર્થમાં આત્મામાં જીવઘાત કરવાનો અશુભ પરિણામ પહેલાં ઉત્પન્ન થાય છે તેનાથી આવેશમાં આવેલો જીવ બીજા જીવની હિંસા કરે છે. બહુવ્રીહિસમાસમાં અશુભ પરિણામ એ કારણ (પૂર્વકાલવર્તી) અને જીવઘાત એ કાર્ય (પશ્ચાત્કાલવર્તી), જ્યારે ષષ્ઠીતપુરુષ સમાસમાં જીવઘાત એ કારણ (પૂર્વકાલવર્તી) અને અશુભ પરિણામ એ કાર્ય (પશ્ચાત્કાલવર્તી) આમ વિવેક કરવો.
અશુભ પરિણામથી થતી દ્રવ્યહિંસા અને દ્રવ્યહિંસાથી થતો તીવ્ર અશુભ પરિણામ આ બને અશુભ પરિણામવાળી પ્રક્રિયા હોવાથી હિંસાની કોટિમાં ગણાય છે. આવું