SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ तणवोऽणब्भाइविगारमुत्तजाइत्तओऽणिलंताई । सत्थासत्थहयाओ, निजीव-सजीवरूवाओ ॥१७५९॥ (तनवोऽनभ्रादिविकारमूर्तजातित्वतोऽनिलान्तानि । શસ્ત્ર શસ્ત્રાતા નિર્નવસનીવરૂપા ) ગાથાર્થ - અભ્રાદિના વિકારોને ત્યજીને મૂર્તિજાતિ હોવાથી પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતો સચેતન છે અને શસ્ત્રો પહત હોય તે નિર્જીવ અને અશસ્ત્રો પહત હોય તે સજીવ સ્વરૂપ હોય છે. ll૧૭૫લો વિવેચન - આ ગાથામાં પૃથ્વી-જલ-તેજ અને અનિલ એટલે વાયુ એમ અનિલ સુધીનાં ચારે ભૂતોનું સચેતનપણું મૂર્તજાતિ નામના હેતુથી સિદ્ધ કરી બતાવે છે. પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતો, જીવ વડે બનાવાયેલી અને જીવના આધારભૂત એવી કાયાવાળાં છે. કારણ કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર ગુણો જેમાં જેમાં હોય છે તે તે દ્રવ્ય મૂર્તજાતિવાળાં કહેવાય છે. આ ચારે ભૂતોરૂપે રહેલાં જીવનાં શરીરો મૂર્તજાતિવાળાં છે માટે સચેતન છે. જે જે મૂર્તિજાતિવાળાં દ્રવ્યો હોય છે તે તે સચેતન (અર્થાત્ જીવવાળાં) દ્રવ્યો હોય છે. જેમકે દેવદત્તનું અથવા પશુ-પક્ષીઓનું શરીર. દેવદત્તાદિ મનુષ્યોનું અને પશુ-પક્ષીઓનું શરીર જેમ મૂર્તિ છે માટે તે શરીરોમાં જીવ છે. તે જ પ્રમાણે આ ચારે ભૂતોરૂપે પરિણામ પામેલાં દ્રવ્યોમાં પણ મૂર્તતા હોવાથી અવશ્ય જીવ છે. ફક્ત અભ્રાદિ (વાદળ-ઈન્દ્રધનુષ્ય આદિ) ના જે વિકારો છે તે મૂર્તિ હોવા છતાં નિર્જીવ પુદ્ગલ માત્ર જ છે. તેથી હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી-વિપક્ષવૃત્તિવાળો) ન થઈ જાય તે માટે “ગપ્રવિરચિત્તે સતિ મૂર્તિનાસ્તિત્વાન્ત'' આવું વિશેષણ હેતુમાં ઉમેરવું. અભ્રાદિ અને ઈન્દ્રધનુષ્યાદિમાં વિશ્રસા પરિણામથી જ (સ્વાભાવિકપણે જ) વિકારો થતા હોવાથી વિશ્રસાભાવે પરિણામ પામેલાં જે પુગલો છે તેના સંઘાતરૂપ છે તેથી નિર્જીવ છે. માટે તેનું વર્જન કરેલું છે. પૃથ્વી-પાણી-તેજ અને વાયુરૂપે બનેલાં સચેતન એવાં જે આ શરીરો છે. તે અગ્નિ આદિ કોઈપણ શસ્ત્ર વડે હણાયાં છતાં તેમાંનો જીવ મૃત્યુ પામવાથી નિર્જીવ થાય છે અને જ્યાં સુધી શસ્ત્રોથી તે શરીરો હણાતાં નથી ત્યાં સુધી તેમાં વર્તતો જીવ પોતાના આયુષ્યકર્મ પ્રમાણે જીવતો હોવાથી સજીવ હોય છે. આ ચારે ભૂતો શસ્ત્રો પહત થવાથી ભલે નિર્જીવ બન્યાં હોય તો પણ અને અશસ્ત્રો પહત હોવાથી સજીવ હોય તો પણ તે સર્વે શરીરો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળાં છે. કારણ કે તે પુગલદ્રવ્ય છે અને પુદ્ગલદ્રવ્યનું લક્ષણ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy