SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૩૨૭ દિશામાં) અનિયમિતપણે ગતિ કરે છે માટે તેમાં આવી ગતિ કરાવનારો ચેતન પદાર્થ છે. તેવી જ રીતે પવન પણ બીજાની પ્રેરણા વિના તિછ (આડી અવળી ગમે તે દિશામાં) અનિયમિતપણે ગતિ કરે છે. તેથી અવશ્ય ચેતનદ્રવ્યવાળો વાયુપદાર્થ છે. આ અનુમાનથી વાયુમાં જીવની સિદ્ધિ કરી. अनलः सचेतनः, आहारोपादानात्, तवृद्धौ विकारविशेषोपलम्भाच्च, नरवत् । અનિદ્રવ્ય અવશ્ય સચેતન છે. જેમ મનષ્યને ખાણી-પીણીની આવશ્યકતા રહે છે. આહારપાણી લેવાં જ પડે છે. જો ન લે તો મૃત્યુ પામે છે. તેમ અગ્નિને પણ લાકડાંછાણાં વગેરે તેને યોગ્ય આહારની જરૂર અવશ્ય રહે જ છે. જો આવા પ્રકારનો આહાર મળે તો જ તે જીવે છે. અન્યથા તે મૃત્યુ પામે છે. અર્થાત્ બુઝાઈ જાય છે. ગેસના અગ્નિને ગેસના આહારની, ઈલેક્ટ્રીકના અગ્નિને ઈલેક્ટ્રકસિટીના આહારની, ઘાસલેટ કે ઘીના અગ્નિને ઘાસલેટ અને ઘીના આહારની જરૂર રહે જ છે. આવો આહાર મળે તો જ તે જીવે છે અન્યથા બુઝાઈ જાય છે. માટે તે સચેતન છે. તથા મનુષ્યને જેમ આહાર મળે તો મોઢા ઉપર કાન્તિ આવે છે, આખુંય શરીર સશક્ત બને છે અને વિશિષ્ટ માદક આહાર મળવાથી વધારે વિકારો થાય છે તેથી તે અવશ્ય સચેતન છે. તેવી જ રીતે અગ્નિને પણ લાકડાં-છાણાં-કેરોસીન-ઘી-તેલ-ઈલેક્ટ્રીકસિટી કે ગેસ આદિનો આહાર મળતાં ઘણી જ વૃદ્ધિ થાય છે. તીવ્રતા આદિ વિકારો થાય છે માટે તે પણ અવશ્ય સચેતન છે. પ્રશ્ન - પૃથ્વી-પાણી-તેજ-વાયુ આ ક્રમ હોવાથી પ્રથમ તેજને સચેતન સિદ્ધ કરીને પછી વાયુને સચેતન સિદ્ધ કરવો જોઈએ. અહીં આ ગાથામાં વાયુને પ્રથમ કેમ કહ્યો ? ઉત્તર - થાવસ્થાનુનોગ્ય વ્યત્યયેનોપચાસ રૂતિ = ગાથાનાં પદોની રચના કરવામાં આ રીતે વધારે અનુકુળતા રહેતી હતી તેથી વ્યત્યયપણે (ઉલટ રીતે) મૂલગાથામાં સચેતનતાની સિદ્ધિ કરી છે. ll૧૭૫૮ll. આ પ્રમાણે પૃથ્વી આદિ ચારે ભૂતોમાં ચેતનતાની સિદ્ધિ કરીને હવે સર્વે પણ એટલે કે ચારેય પણ ભૂતોમાં તે ચેતનતા છે. એમ સમુચ્ચયપણે ચૈતન્યતા સિદ્ધ કરતાં જણાવે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy