SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ પૂર્વકાલમાં જોયેલો ન હોવાથી ભલે અનુમાનથી સિદ્ધ ન થાય, પણ તે આત્મા આગમથી સિદ્ધ થશે. આમ કોઈ કહે તો તે પણ બરાબર નથી. કારણ કે આ આત્મા આગમથી પણ સિદ્ધ થઈ શકતો નથી. કારણ કે આગમપ્રમાણ પણ એક પ્રકારનું અનુમાન જ છે. અનુમાનપ્રમાણથી આગમપ્રમાણ કંઈ જુદું પ્રમાણ નથી. કારણ કે તેમાં પણ એક પ્રકારની લિંગ-લિંગીના સંબંધ દ્વારા કલ્પના જ કરવાની હોવાથી પરમાર્થથી તે આગમપ્રમાણ પણ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે - પૂર્વકાલમાં થયેલા આપ્તપુરુષો વડે બોલાયેલા વાક્યોથી જે બોધ થાય તેને શાબ્દપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષો બે પ્રકારના હોય છે. લૌકિક અને લોકોત્તર. માતા-પિતા આદિ હિતેચ્છુ વડીલો તે લૌકિક આપ્ત કહેવાય છે અને તીર્થંકરભગવન્તો કે સર્વજ્ઞ આત્માઓ તે લોકોત્તર આપ્ત કહેવાય છે. તેમનાં બોલાયેલાં વાક્યોથી જે બોધ થાય તે આગમપ્રમાણ કહેવાય છે. આ વાક્યો પણ બે જાતનાં હોય છે. એક દૃષ્ટાર્થના વિષયવાળાં એટલે કે પ્રત્યક્ષ દેખાતા ઘટ-પટ આદિ પદાર્થોને જણાવનારાં અને બીજાં અદૃષ્ટાર્થના વિષયવાળાં એટલે કે સ્વર્ગ-નરકાદિ ચક્ષુથી ન દેખાતા તેવા પદાર્થને કહેવાવાળાં. આ બન્નેમાંથી પ્રથમ જે દૃષ્ટાર્થના વિષયવાળાં છે એટલે કે ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતા એવા ઘટ-પટ આદિ દૃષ્ટપદાર્થના વિષયવાળાં વાક્યોથી જે બોધ થાય છે તે બોધ વાસ્તવિક રીતે અનુમાનથી જ થયેલ છે. અર્થાત્ અનુમાનથી ભિન્ન નથી. કારણ કે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને “ઘટ લાવ” આમ કહ્યું. તે ત્રીજી વ્યક્તિએ સાંભળ્યું ત્યારે ઉદરભાગ સુધી પહોળા અને તેનાથી ઉપરના ભાગમાં સાંકડા, માટીના બનેલા, સરખા લાંબા-પહોળા અને ગોળ ગ્રીવાવાળા એવા ઘટનામના પદાર્થને બીજી વ્યક્તિએ લાવીને પ્રથમ વ્યક્તિને આપ્યો. તે જોઈને ત્રીજી વ્યક્તિએ મનમાં આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે “પૃથુqોરારિ' આકારવાળો આવા પ્રકારનો જે પદાર્થ છે તેને જ ઘટ કહેવાય છે. કારણ કે પ્રથમ વ્યક્તિએ બીજી વ્યક્તિને જ્યારે ઘટ લાવવાનું કહ્યું ત્યારે તેણે તે જ પદાર્થ લાવ્યો અને પ્રથમ વ્યક્તિએ લીધો. માટે આ જ ઘટપદાર્થ ઘટશબ્દથી વાચ્ય હોવો જોઈએ. જેમ કુંભારની દુકાનમાં આવા ઘણા ઘટ છે અને તેને ઘટ-ઘટ કહીને જ લોકો લેવડદેવડ કરે છે. તેવી રીતે આ આખપુરુષ વડે બોલાયેલો ઘટ શબ્દ અત્યારે મને જે સંભળાય છે તેથી તેવા પ્રકારના પૃથુબુબ્બોદરાદિ આકારવાળા પદાર્થની જ મારે આનયનક્રિયા કરવી જોઈએ. આવા પ્રકારનું અનુમાન કરીને પ્રમાતા ઘટાડયનની ક્રિયા કરે છે. અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે - વત્રી પ્રદ્યુમન પટશબ્દઃ, પૃથુqોરાર્થેિ ઇવ તે, तथाभूतपदार्थे एव घटशब्दप्रयोगप्रवृत्तेः, यथा पूर्वं कुम्भकारापणादौ ।
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy