SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨) ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ નH-નર-નવ-મ૨U-રોદ-હાર-લોદત્તામય ! रोग-तिगिच्छाईहि य, नारिव्व सचेयणा तरवो ॥१७५३॥ (ન-નર-જીવન-મ૨UT-શેહUદિર-ટીલામતઃ | શા-ત્રિવત્સમિશ્ર-નારીવ સવેતનાપ્તરવ: II) ગાથાર્થ - વૃક્ષોમાં નારીની જેમ જન્મ-જરા-જીવન-મૃત્યુ-રોહણ (ભાંગેલાનું સંધાવું), આહાર, દોહલા, આમય (રોગ) અને રોગની ચિકિત્સા વગેરે ધર્મો દેખાય છે. માટે વનસ્પતિ સચેતન છે. ll૧૭૫૭// - વિવેચન - આ ગાથામાં વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરવામાં આવી છે. “તરવ: સતના:” વનસ્પતિ સઘળી સચેતન છે. આ પ્રતિજ્ઞા જાણવી. (તરવ: એ પક્ષ છે અને સતના: એ સાધ્ય છે.) -નર-નવન-મરી-ક્ષતિસંરોદUTTહાર-તીર્દામરોત્સિાસિદ્ધીવત્ (જન્મ-જરા-જીવન-મરણ-ભાંગેલાનું સંધાવું, આહારગ્રહણ, દોહલા થવા, રોગ થવો અને રોગની ચિકિત્સા કરવી વગેરે લક્ષણો વનસ્પતિમાં દેખાય છે. આ હેતુ સમજવો. નારીવત્ = સ્ત્રીની જેમ આ ઉદાહરણ જાણવું. આ રીતના અનુમાનથી વનસ્પતિમાં જીવની સિદ્ધિ જાણવી. 1 = દરેક વનસ્પતિ ભૂમિમાંથી ઉત્પન થતી એટલે કે જન્મ પામતી દેખાય છે. વર્ષાઋતુ કાલે સર્વત્ર અનેક જાતની વનસ્પતિનો જન્મ પ્રત્યક્ષ દેખાય છે. શેષ ઋતુકાલે તે તે ઋતુસંબંધી વનસ્પતિ જન્મ પામતી દેખાય છે. નરT = સ્ત્રીના શરીરમાં જેમ ઘડપણ દેખાય છે તેમ ઘણાં વર્ષોનાં વૃક્ષોમાં ઘડપણ દેખાય છે. આ વૃક્ષ હવે ખખડી ગયું છે. ઘણું ઘરડું થયું છે. આમ વ્યવહારમાં પણ બોલાય નીવન = જેમ સ્ત્રી ૫૦-૮૦-૧૦૦ વર્ષ જીવતી દેખાય છે તેમ વૃક્ષ પણ સેંકડો વર્ષો સુધી જીવતાં દેખાય છે. ત્યારબાદ તે સડી પડી જાય છે. RUT = જેમ સ્ત્રીનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામતી સ્ત્રી દેખાય છે તેમ વૃક્ષો પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને ભૂમિ ઉપર પડી જતાં, સડી જતાં, નાશ પામતાં દેખાય છે. રોપ = ભાંગી ગયેલાનું સંધાયું. જેમાં સ્ત્રીના શરીરનો કોઈ ભાગ ભાંગી ગયો હોય, ઘા પડ્યો હોય તો ઔષધોથી સંધાય છે. તેમ વૃક્ષોની શાખા-પ્રશાખા કે ફૂલ-ફળ
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy