________________
ગણધરવાદ
૩૧૨
ચોથા ગણધર - વ્યક્ત પરંતુ “અપ્રત્યક્ષત્ર” શબ્દનો અર્થ તો વિચારો. “ઈન્દ્રિયોથી જે પદાર્થ જણાય તે પ્રત્યક્ષ કહેવાય છે” અને “ઈન્દ્રિયોથી જે પદાર્થ ન જણાય” તે અપ્રત્યક્ષ કહેવાય છે. હવે પરભાગ અને મધ્યભાગ ઈન્દ્રિયોથી જણાતા નથી માટે નથી-આમ શૂન્યતાવાદીનું કહેવું છે. પરંતુ જ્યાં તમે શૂન્યતા સાધો છો ત્યાં ઈન્દ્રિયો પણ છે અને સામે શેયપદાર્થ પણ છે. માત્ર ઈન્દ્રિયો વડે તે જણાતો નથી, પણ છે અવશ્ય એવો અર્થ થાય છે. હવે જો ઈન્દ્રિયો હોય અને સામે શેય પદાર્થ પણ હોય તો શૂન્યતા ક્યાં સિદ્ધ થઈ ? શૂન્યતા રહેતી જ નથી. અપ્રત્યક્ષ શબ્દથી ઈન્દ્રિયોના અને શેયપદાર્થના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. અર્થાત શેયવસ્ત પણ છે અને ઈન્દ્રિયો પણ છે. માત્ર ઈન્દ્રિયો વડે શેયવસ્ત ગ્રહણ થતી નથી. આવો અર્થ થવાથી પદાર્થોની સિદ્ધિ થાય છે પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી.
વળી જો શૂન્યતા જ છે. આવો આગ્રહ રાખો તો ઈન્દ્રિયો પણ નથી અને પદાર્થ પણ નથી એવો જ અર્થ થશે અને ઈન્દ્રિયો જ ન હોય તો “ઈન્દ્રિયોથી જણાય તે પ્રત્યક્ષ અને ઈન્દ્રિયોથી ન જણાય તે અપ્રત્યક્ષ” આવા પ્રકારનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષનો વ્યવહાર જ ઘટશે નહીં. તેથી “અપ્રત્યક્ષદ્વત:” આવા પ્રકારના તમારા હેતુની જ હાનિ થશે. તમારો હેતુ ખોટો ઠરશે.
જો ઈન્દ્રિયો અને શેયપદાર્થ છે એમ માનો તો શૂન્યતા ન રહે, અને જો ઈન્દ્રિયો અને શેયપદાર્થ નથી એમ માનો તો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષના વ્યવહારનો જ વિચ્છેદ થાય. માટે પણ તમારો આ બચાવ વ્યાજબી નથી. I/૧૭૪૬/l.
अत्थि अपच्चक्खं पि हु, जह भवओ संसयाइविन्नाणं । अह नत्थि सुण्णया, का कास व केणोवलद्धा वा? ॥१७४७॥ (अस्त्यप्रत्यक्षमपि खलु यथा भवतः संशयादिविज्ञानम् । ૩થ નાતિ શૂન્યતા, 1 વી વી નોપત્રવ્ય વી ? )
ગાથાર્થ - અપ્રત્યક્ષ વસ્તુ પણ સંસારમાં હોય છે. જેમકે તમારું સંશયાદિ વિજ્ઞાન, હવે જો તે સંશયાદિવિજ્ઞાન પણ નથી તો શૂન્યતા એ શું ? કોની શૂન્યતા ? અને કોના વડે આ શૂન્યતા જોવાઈ (જણાઈ) ? ll૧૭૪૭
વિવેચન - ગાથા ૧૭૪૬ માં શૂન્યતાવાદીએ કહેલું કે “પરમધ્યમ ન સ્ત:, પ્રત્યક્ષીત્' “પરભાગ અને મધ્યભાગ નથી, કારણ કે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા નથી ખર-વિષાણની જેમ” આવું અનુમાન ઉપર કહેવામાં આવ્યું છે. પરંતુ આ અનુમાનમાં