SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૩૧૧ છો. કોઈપણ પદાર્થ નથી જ, આમ જ માનો છો, તેથી વ્યતિરેક ઉદાહરણ તમારી વ્યાપ્તિમાં મળતું નથી. માટે વ્યતિરેકવ્યાપ્તિ સિદ્ધ થતી નથી. તેથી હેતુ વિપક્ષવ્યાવૃત્ત છે? કે વિપક્ષથી વ્યાવૃત્ત નથી ? આ સિદ્ધ થતું નથી. માટે તમારો જે હેતુ છે તે અહેતુ જ રહે છે. સહેતુ બનતો નથી. ll૧૭૪૪-૧૭૪પી. नत्थि परमज्झभागा, अपच्चक्खत्तओ मई होज्जा । नणु अक्खत्थावत्ती, अपच्चक्खत्तहाणी वा ॥१७४६॥ (न स्तः परमध्यभागावप्रत्यक्षत्वतो मतिर्भवेत् । नन्वक्षार्थापत्तिरप्रत्यक्षत्वहानिर्वा ॥) ગાથાર્થ - પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી, (તેથી શૂન્યતા જ છે) આવી તમારી બુદ્ધિ થાય તો અયુક્ત છે. કારણ કે કાં તો ઈન્દ્રિય અને પદાર્થની સત્તા સિદ્ધ થાય છે. કાં તો અપ્રત્યક્ષત્વ નામના હેતુની હાનિ થાય છે. /૧૭૪૬ll વિવેચન - ઘટ-પટ-સ્તંભ આદિ સંસારવર્તી સકલ પદાર્થોના આરામ્ભાગ, મધ્યભાગ અને પરભાગ છે જ, ચક્ષુથી ભલે પરભાગ અને મધ્યભાગ ન દેખાય તો પણ આરામ્ભાગ દેખાય છે અને તે અપેક્ષિક છે માટે પરભાગ-મધ્યભાગ છે જ. આ વાત પહેલાંની અનેક ગાથાઓમાં સમજાવી છે. તો પણ શૂન્યતાવાદી ફરીથી દલીલ કરે છે. પ્રશ્ન - જેમ ખરવિષાણ (ગધેડાનાં શિંગડાં) દેખાતાં નથી માટે નથી. તેવી રીતે ઘટ-પટાદિ વસ્તુઓના પરભાગ અને મધ્યભાગ પણ દેખાતા નથી માટે નથી. જો પરભાગ અને મધ્યભાગ હોત તો ચક્ષુથી દેખાત, પરંતુ ચક્ષુથી દેખાતા નથી માટે નથી. ચક્ષુથી જે જે ન દેખાય અર્થાતુ અપ્રત્યક્ષ હોય તે તે પદાર્થો હોતા જ નથી. જેમકે ખરવિષાણઆકાશ-પુષ્પાદિ. આ રીતે પરભાગ અને મધ્યભાગ નથી તેથી “આરામ્ભાગ” પણ નથી. કારણ કે આરામ્ભાગને આરાભાગે ત્યારે જ કહેવાય કે જો પરભાગ અને મધ્યભાગ પાછળ હોય તો, આમ આરાભાગ એ પરભાગ-મધ્યભાગની સાથે આપેક્ષિક હોવાથી તે બન્ને ન હોવાથી આ આરાભાગ પણ નથી. તેથી સર્વથા શૂન્યતા જ છે. આવી બુદ્ધિ (આવો પ્રશ્ન) કદાચ શૂન્યતાવાદી કહે. ઉત્તર - શૂન્યતાવાદી કદાચ ઉપર મુજબ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અયુક્ત છે. કારણ કે “પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી” આમ તે શૂન્યતાવાદીનું કહેવું છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy