SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૩૦૯ “સર્વાર્શના:” આ હેતુથી સિદ્ધ થતી હોય તો ભલે તે જ હેતુને અમે સ્વીકારીશું. આ હેતુ વ્યાપક (સાધ્યની સાથે સર્વત્ર રહેનાર) હોવાથી કોઈ દોષ આવશે નહીં. ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો “સર્વાવત:' આ હેતુ સ્વીકારશો તો તમે પૂર્વે (૧૯૯૬માં) “પરમાાતિનત ” આવો જે હેતુ લીધેલો તેને બદલીને હવે નવા હેતુનો સ્વીકાર કરો છો, તેથી “પ્રતિજ્ઞાાનિ” નામનું નિગ્રહસ્થાન લાગુ પડે છે. વાદસભામાં વાદી પૂર્વકાલમાં કંઈ કહે અને પછીના કાલે કંઈ બીજું કહે તો પૂર્વકાલની પ્રતિજ્ઞાની હાનિ થાય. ૨૨ નિગ્રહસ્થાન આવે છે. તેમાં પ્રતિજ્ઞાહાનિ નામનું નિગ્રહસ્થાન (વાદસભામાં બોલતો વાદી જો પ્રતિજ્ઞા બદલે તો તેની હાર મનાય એવું જે સ્થાન તે નિગ્રહસ્થાન) લાગુ પડે. એટલે એક દોષ તો આ આવે. બીજું તમારા અનુમાનમાં સાધ્ય શૂન્યતા છે અને હેતુ સર્વભાગાદર્શન છે. જે વસ્તુ પ્રત્યક્ષ નજરોનજર દેખાતી હોય તે વસ્તુ આ સંસારમાં નથી આવું સાધવામાં “પ્રત્યક્ષવિરોધ” નામનો પણ દોષ આવે. જેમકે અગ્નિમાં ઉષ્ણતા પ્રત્યક્ષગોચર છે છતાં શીતળતા (અનુષ્ણતા) સાધીએ તો પ્રત્યક્ષવિરોધ અર્થાત્ બાધિત હેત્વાભાસ કહેવાય છે. તેવી રીતે ગામ-નગર-નદી-સમુદ્ર-ઘટ અને પટ ઈત્યાદિ પદાર્થો પ્રત્યક્ષ દેખાતા હોવાથી “તે પદાર્થો નથી” આમ સાધવું અને સર્વ ભાગોનું અદર્શન છે આમ બોલવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કારણ કે તે પદાર્થો પ્રત્યક્ષ દેખાય પણ છે અને તેના સર્વભાગો પણ દેખાય જ છે. માટે તમારો આ હેતુ ખોટો હેતુ છે. પ્રશ્ન - જે જે સાચા હેતુ (સહેતુ) હોય છે. તે તે બધા જ હેતુ “સાધ્યની સાથે વ્યાપક જ હોય છે” એવો નિયમ નથી, સાધ્યની સાથે વ્યાપક હોય કે સાધ્યની સાથે ભલે અવ્યાપક હોય પરંતુ સાધ્યની બહાર જે હેતુ ન વર્તતો હોય “વિપક્ષાત્ સર્વથા નિવૃત્ત:વિપક્ષથી જે હેતુ સર્વથા નિવૃત્ત હોય છે તે હેતુ પણ સહેતુ તરીકે ઈચ્છાય છે. જેમકે (૧) રેવદ્રત્ત: સનીવ: ચેતનવસ્વીત્ સાધ્યની સાથે વ્યાપક હેતુ (૨) પટપટાઃિ મૂર્ત વામિન્વીત્ સાધ્યની સાથે વ્યાપક હેતુ (૩) પર્વતો વદ્વિમાન્ ધૂમ સાધ્યની સાથે અવ્યાપક હેતુ (૪) શબ્દઃ નિત્ય: પ્રયત્નોત્તરીયાત્ સાધ્યની સાથે અવ્યાપક હેતુ પ્રથમનાં બન્ને ઉદાહરણોમાં હેતુ સાધ્યની સાથે વ્યાપક છે. કારણ કે સજીવત્વ સાધ્યની સાથે ચેતનવત્ત્વ અને મૂર્તિત્વસાધ્યની સાથે વર્ણાદિમત્ત્વ સર્વત્ર વ્યાપકપણે વર્તે છે.
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy