SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ પરભાગ-મધ્યભાગ દેખાય છે. ત્યાં તમારો હેતુ જતો નથી. તેથી તે પદાર્થો નથી આવું સિદ્ધ થતું નથી. તેથી તે સ્ફટિકાદિ કેટલાક પદાર્થો તો પરભાગાદિના દર્શનવાળા હોવાથી “છે” આમ જ સિદ્ધ થાય છે અને આ વાત તો તમારે પણ સ્વીકારવી જ પડશે. માટે શૂન્યતા નથી. આ વાત આપોઆપ સિદ્ધ થાય છે. ૩૦૮ હવે જો આ દોષથી બચવા માટે તમે કદાચ એમ કહો કે સ્ફટિકાદિ કેટલાક પદાર્થોનો પરભાગ-મધ્યભાગ ભલે દેખાય, તો પણ તે પદાર્થો આ સંસારમાં નથી. આવું કહેશો તો ‘પરમાસિળ'' આવો તમારો જે હેતુ છે તે અહેતુ થશે. કારણ કે જેના પરભાગનું અદર્શન હોય કે જેના પરભાગનું દર્શન હોય, આવા પ્રકારના ઘટ-પટાદિ પદાર્થો હોય કે સ્ફટિકાદિ પદાર્થો હોય તમારા મતે તો બન્ને પ્રકારના પદાર્થો સંસારમાં નથી જ. તેથી જેના પરભાગનું અદર્શન હોય તે જ આ સંસારમાં નથી, આવી વાત રહેતી નથી. જેના પરભાગાદિ દેખાય એવા સ્ફટિકાદિ પણ નથી અને જેના પરભાગાદિ ન દેખાય એવા ઘટ-પટાદિ પણ નથી, આવો અર્થ થશે. એટલે શૂન્યતા સાધવામાં પરભાગાદર્શન હેતુ સમર્થ બનતો નથી. સાધ્યની સાથે વ્યાપક નથી. તેથી પરિપૂર્ણ સાધ્યને સાધવામાં આ હેતુ અસમર્થ છે. માટે અહેતુ અર્થાત્ અસમર્થહેતુ થાય છે. પ્રશ્ન - ‘‘પરમા વર્ણનત:'' આ હેતુ શૂન્યતા સાધવામાં અવ્યાપક છે. સાધ્ય સાધવામાં અસમર્થ છે. તો કયો બીજો હેતુ મુકીએ તો અમારે ઈષ્ટ એવી શૂન્યતાની સિદ્ધિ થાય. આ હેતુ સાધ્યની સાથે અવ્યાપક છે. તો શૂન્યતા સાધી આપે એવો વ્યાપક હેતુ કયો હોઈ શકે ? ઉત્તર - ‘‘સર્વાવર્ગનત:’' સર્વ ભાગો જેના દેખાતા નથી તે વસ્તુ સંસારમાં નથી, આવો શૂન્યતાની સાથે વ્યાપક હેતુ જો તમે મૂકો તો તમારી માનેલી શૂન્યતા જે જે પદાર્થોની છે તે સિદ્ધ થાય. જેમ આકાશ પુષ્પાદિ કેટલાક પદાર્થો સર્વથા “અસત્” છે તે વસ્તુ જ આ સંસારમાં નથી. તેથી તે વસ્તુઓ શૂન્યરૂપ પણ છે અને વસ્તુ જ નથી તેથી તેના ભાગો પણ નથી. તેથી સર્વ ભાગોનું અદર્શન પણ છે. માટે ‘‘સર્વાવર્ગનત: '' આ હેતુ મુકવાથી (જે જે વસ્તુઓ અસત્ છે તેની એટલે કે કથંચિદ્) શૂન્યતા સિદ્ધ થાય. આ હેતુ શૂન્યતા નામના સાધ્યની સાથે વ્યાપક હેતુ છે. તે હેતુ મુકશો તો તેટલી શૂન્યતા સિદ્ધ થશે. વ્યક્તપંડિત - બહુ જ સારું, માફ તનામ = ભલે તે જ હેતુ હવે હો, પરમાવશેનત: આ હેતુને બદલે સર્વાવર્ગનત: આ જ હેતુ અમે કહીશું. જો અમારી માનેલી શૂન્યતા કોઈપણ રીતે સિદ્ધ થતી હોય તો અમને ‘‘સર્વાવર્ગનત:'' આ વ્યાપક હેતુ કહેવામાં કંઈ વાંધો નથી. કારણ કે અમારે તો યેનકેન પ્રકારેણ શૂન્યતા જ સિદ્ધ કરવી છે. જો તે શૂન્યતા
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy