________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૭
આરામ્ભાગ આદિ ભાગો પણ સત્ છે. આમ વસ્તુતત્ત્વ સ્વીકારીને સીધા માર્ગે આવવું જોઈએ. ખોટા કુતર્કો અને મિથ્યા કલ્પનાના ઘોડાઓ દોડાવવા જોઈએ નહીં. ૧૭૪૩
હે વ્યક્ત પંડિત ! તમે ૧૬૯૬ મી ગાથામાં જે કહ્યું કે ઘટપટ આદિ પદાર્થોનો પરભાગ દેખાતો નથી માટે નથી. આ અનુમાનથી જેના જેના પરભાગનું અદર્શન હોય તે તે નથી એવો જ અર્થ થાય છે. તેથી સ્ફટિકાદિ કેટલાક પદાર્થો એવા પણ છે કે જેના પરભાગનું દર્શન થાય છે. તો તેવા પદાર્થો પરભાગના દર્શનવાળા હોવાથી સંસારમાં છે જ. આમ સ્ફટિકાદિનું અસ્તિત્વ સિદ્ધ થશે તો પણ શૂન્યતા ઉડી જાય છે. આ વાત સમજાવતાં કહે છે કે -
परभागदरिसणं वा, फलिहाईणं ति ते धुवं संति । जइ वा ते वि न संता, परभागादरिसणमहेऊ ॥१७४४॥ सव्वादरिसणउच्चिय, न भण्णए कीस, भणइ तन्नाम । पुव्वब्भुवगयहाणी, पच्चक्खविरोहओ चेव ॥१७४५॥ (परभागदर्शनं वा स्फटिकादीनामिति ते ध्रुवं सन्ति । યદિ વા તે િર સત્ત:, પરમા વિર્ણનમહેતુઃ II) सर्वादर्शनत एव न भण्यते कस्मात्, भणति तन्नाम । પૂર્વાગ્રુપતિના, પ્રત્યક્ષવિરોધતશૈવ )
ગાથાર્થ - અથવા સ્ફટિકાદિ પદાર્થોનો પરભાગ દેખાય છે તેથી તે પદાર્થો અવશ્ય છે જ. અથવા જો તે સ્ફટિકાદિ નથી તો તમારો “પરભાગાદર્શન” એ હેતુ અહેતુ બને છે. I/૧૭૪૪
અથવા પરભાગાદર્શનને બદલે “સર્વભાગાદર્શન” એ હતું કેમ કહેવાતો નથી ? કદાચ કહો કે સારું, હવે તે સર્વાદર્શન જ હેતું હો, તો પૂર્વે સ્વીકારેલાનો વિરોધ આવે અને પ્રત્યક્ષવિરોધ દોષ પણ આવે. /૧૭૪પ
વિવેચન - ઘટ-પટ-સ્તંભ-કુંભ વગેરે પદાર્થોનો પરભાગ-મધ્યભાગ દેખાતો નથી. તેથી તમે “પરમાનિત.” આ હેતુ મુકીને ઘટપટ આદિ તે તે પદાર્થો નથી. તેથી શૂન્યતા જ છે આમ સિદ્ધ કરો છો. તેનો અર્થ એ થાય છે કે જેનો જેનો પરભાગ, મધ્યભાગ દેખાય તે તે પદાર્થો તો આ સંસારમાં અવશ્ય ધ્રુવ છે જ. જેમકે સ્ફટિક અને અભ્રપટલ (અભરખનાં પડલ). આ રીતે સ્ફટિક અને અભ્રપટલ વગેરે કેટલાક પદાર્થોનો