SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા ગણધર - વ્યક્ત ગણધરવાદ પ્રતરસ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે, દેખાતો નથી માટે નથી. આવી કલ્પના કરવી તે પણ ખોટું છે. પરમાણુ, ચણુક, ઋણુક ઘણા સૂક્ષ્મ છે, અદૃશ્ય પણ છે. પરંતુ સંસારમાં તે નથી એમ નહીં. પરમાણુ વગેરે સૂક્ષ્મ અને અદૃશ્ય હોવા છતાં પણ છે જ. તેવી રીતે સર્વ આરાતીય ભાગ ભલે સૂક્ષ્મ હો, અદૃશ્ય હો, તો પણ નથી એમ નહીં, પરંતુ છે જ. ૩૦૪ તથા આરાદ્ભાગમાં આવા પ્રકારના અન્ય-અન્ય આરાદ્ભાગોની કલ્પના કરવી અને તેમાં પરભાગ ન દેખાતા હોવાથી નથી એમ માનીને સર્વથી પ્રથમ આરાદ્ભાગ પણ નથી, આવી કલ્પના કરવી તે અયુક્ત છે. ખોટું છે. તેથી ઘટ-પટાદિ સર્વ દશ્ય-વસ્તુઓમાં પરભાગ પણ છે. મધ્યભાગ પણ છે અને આરાદ્ભાગ તો દેખાય જ છે એટલે છે. આમ અખંડ સર્વે વસ્તુઓ છે. તેથી શૂન્યતા નથી. એમ સિદ્ધ થાય છે. II૧૭૪૦॥ સવ્વાભાવે વિ ો, આા-પર-મામાનાળનં ? । અહ પરમÍા મારૂ, સ-પર-મવિસેસળ ત્તો ? ॥૨૭૪॥ आर-पर- मज्झभागा, पडिवण्णा जइ न सुण्णया नाम । अपडिवण्णेसु वि का विगप्पणा खरविसाणस्स ? ॥१७४२॥ सव्वाभावे वाराभागो किं दीसए न परभागो ? । सव्वागहणं व न किं किं वा न विवज्जओ होइ ? ॥१७४३ ॥ (સર્વાંમાવેપિ ત:, આરાત્-પર-મધ્યમાનાનાત્વમ્ ? । અથ પરમા મળ્યતે, સ્વ-પર-મતિવિશેષાં ત: ? ॥ आरात्-पर-मध्यभागाः, प्रतिपन्ना यदि न शून्यता नाम । अप्रतिपन्नेष्वपि का विकल्पना खरविषाणस्य ॥ ) सर्वाभावे वाराद्भागः, किं दृश्यते न परभागः ? | सर्वाग्रहणं वा न किं, किं वा न विपर्ययो भवति ? ) ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ જ છે. સર્વથા શૂન્યતા જ જો છે, તો આરાદ્ભાગ-પરભાગ અને મધ્યભાગ આવું નાનાપણું કેમ ઘટે ? જો પરવાદીની અપેક્ષાએ કહેતા હોય તો સ્વ અને પર આવી મતિવાળાં વિશેષણો કેવી રીતે લાગે ? ૧૭૪૧| આરાહ્ભાગ-પરભાગ અને મધ્યભાગ આવા ભાગો જો કલ્પવામાં આવ્યા છે તો શૂન્યતા ક્યાં રહી ? અને જો આવા ભાગો ન સ્વીકારતા હો અને કલ્પના જ માત્ર કરતા હો તો ખરવિષાણના પણ આવા પ્રકારના ભાગોની કલ્પના કેમ કરતા નથી ? ।।૧૭૪૨॥ ન
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy