________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૩
‘‘અગ્નિ: અનુા: દ્રવ્યવાન્ નનવત્'' અગ્નિ શીતળ છે. દ્રવ્ય હોવાથી, જળની જેમ. આ અનુમાન બાધિત હેત્વાભાસ કહેવાય છે, તેમ ઘટ-પટ-સ્તંભ અને કુંભાદિ સકલ વસ્તુઓનો આરાદ્ભાગ સર્વ માણસોને ચક્ષુરિન્દ્રિયથી પ્રત્યક્ષ દેખાય છે. આ વાત અગ્નિની ઉષ્ણતાની જેમ સકલલોકમાં પ્રસિદ્ધ છે. તમે તેનાથી વિરુદ્ધ એટલે કે પ્રત્યક્ષથી બાધિત સાધ્યને સાધો છો. જેમ અગ્નિની શીતળતા સાધવી તે સકલલોકના પ્રત્યક્ષથી બાધિત છે. તેમ ઘટ-પટાદિ પદાર્થોનો આરાહ્ભાગ પ્રત્યક્ષ સકલલોકને દેખાતો હોવા છતાં “આરાદ્ભાગ નથી’” આવું સાધવું (આવું અનુમાન કરવું) તે પ્રત્યક્ષબાધિત કહેવાય છે.
બીજી વાત એ છે કે વસ્તુનો આ આરાદ્ભાગ” આમ જે બોલો છો ત્યાં આરાદ્ભાગ એ શબ્દ (પરભાગની અપેક્ષાએ જ પ્રવર્તે છે તેથી) આપેક્ષિક શબ્દ હોવાથી પરભાગ છે એવું અનુમાન હજુ થઈ શકે છે. જેમ કોઈ સૌભાગ્યવંતી સ્ત્રીના શરીર ઉપર સૌભાગ્યનાં સઘળાં ચિહ્નો પ્રત્યક્ષ દેખાતાં હોય અને તેનો પતિ ન દેખાતો હોય તો પણ (ગ્રામાન્તર ગયો હશે અથવા સ્થાનાન્તર થયો હશે પણ) છે ચોક્કસ, એવું અનુમાન કરાય છે. પરંતુ પતિ નથી દેખાતો માટે સૌભાગ્યનાં ચિહ્નો દેખાતાં હોવા છતાં તે પ્રત્યક્ષનો અપલાપ કરીને આ સ્ત્રી “વિધવા” છે આવું પ્રત્યક્ષવિરુદ્ધ અનુમાન કરવું તે યોગ્ય નથી. અર્થાત્ આવું અનુમાન કરાતું નથી. તેની જેમ પરભાગ દેખાતો નથી માટે દેખાતો એવો આરાદ્ભાગ નથી આવું પ્રત્યક્ષ વિરુદ્ધ અનુમાન કરાતું નથી. પરંતુ આરાાગ દેખાતો હોવાથી પરભાગ હશે જ આવું અનુમાન કરાય છે. તે અનુમાન આ પ્રમાણે છે
-
दृश्यवस्तुनः परभागोऽस्ति, तत्सम्बन्धिभूतस्याराद्भागस्य ग्रहणाद् = જે જે દૃશ્ય વસ્તુ ઘટ-પટાદિ પદાર્થો છે તે સર્વને પરભાગ (પાછલો ભાગ) ન દેખાતો હોવા છતાં પણ અવશ્ય છે. કારણ કે તેની સાથે સંબંધવાળો એવો આરાદ્ભાગ ચક્ષુથી દેખાય છે માટે, જેના સંબંધીભૂત ભાગ દેખાતો હોય તો તે ભાગ પણ અવશ્ય હોય જ છે. જેમકે આકાશનો પૂર્વભાગ દેખાય છે તો તેના સંબંધી પશ્ચિમભાગ પણ અવશ્ય છે જ. તેવી જ રીતે ઘટ-પટાદિ પદાર્થોનો આરાદ્ભાગ દેખાય છે માટે પરભાગ પણ અવશ્ય છે જ.
વલી તે જ ૧૬૯૬ મી ગાથામાં “ઘટ-પટાદિના જે આરાદ્ભાગ છે તે આરાદ્ભાગની અંદર અન્ય અન્ય આરાદ્ભાગોની કલ્પના કરીને પાછલા આરાદ્ભાગોને આગલા આરાદ્ભાગોથી આચ્છાદિત માનીને દેખાતા નથી માટે નથી. આમ તમે જે કહ્યું ત્યાં પણ ઉપર કરેલા અનુમાન પ્રમાણે પાછલા આરાહ્ભાગો નથી એમ નહીં, પણ છે આવું અનુમાન થાય છે. સર્વ આરાતીય ભાગ દેખાય છે માટે તેનાથી આચ્છાદિત આરાતીય ભાગો પણ છે જ. સંબંધીવાચી શબ્દ હોવાથી તથા સર્વ આરાતીયભાગ પરમાણુના