________________
૩૦૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે. તેથી તેનો આરામ્ભાગ ભ્રાન્તિથી પણ દેખાવો જોઈએ અને સર્વથા અસત્નો આરાભાગ નથી દેખાતો અને ઘટ-પટનો આરામ્ભાગ દેખાય છે. માટે ઘટ-પટ સર્વથા અસત્ નથી.
જો સર્વથા શૂન્યતા જ હોય તો જેમ આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે તેમ ઘટપટાદિ પણ સર્વથા અસત્ છે. તો બન્નેના આરાભાગ કાં તો ન દેખાવા જોઈએ અથવા તો બન્નેના આરામ્ભાગ દેખાવા જોઈએ. આમ બન્નેમાં સમાનતા હોવી જોઈએ પણ વિષમતા કેમ ? તેમજ જો વિષમતા છે તો આકાશ-પુષ્પાદિનો આરામ્ભાગ ન જ દેખાય અને ઘટ-પટાદિનો આરાભાગ દેખાય જ. આમ પણ કેમ બને છે ? તેનાથી વિપરીતતા પણ કેમ બનતી નથી ? એટલે કે ઘટ-પટાદિનો આરાભાગ ન દેખાય અને આકાશ-પુષ્પાદિનો આરાહ્માગ દેખાય આવું વિપરીત ક્યારેય પણ કેમ બનતું નથી ? જો સર્વનો અભાવ છે તો આકાશ-પુષ્પાદિ અને ઘટ-પટાદિ સર્વે અસત્ જ છે. માટે સમાનતા રહેવી જોઈએ. વિષમતા કેમ ? અને જો વિષમતા છે તો વિપરીતતા ક્યારેય કેમ નહીં? તેથી તમારી આ માન્યતા ઉચિત નથી. ll૧૭૩લા
परभागादरिसणओ, नाराभागो वि किमणुमाणं ति । आराभागग्गहणे, किं व न परभागसंसिद्धी? ॥१७४०॥ (परभागादर्शनतो नाराद्भागोऽपि किमनुमानमिति । મારામારી પ્રદી, વિં વી પરમી સંસિદ્ધિઃ ? )
ગાથાર્થ - પરભાગના અદર્શનથી આરાભાગ નથી આવું અનુમાન કેમ કરાય ? અથવા આરાભાગ દેખાતો હોવાથી પરભાગ પણ છે આવું પરભાગની સિદ્ધિવાળું અનુમાન કેમ ન થાય ? /૧૭૪oll
વિવેચન - ગાથા ૧૬૯૬ માં તમે આવું જે અનુમાન કરેલું છે કે ઘટ-પટ-સ્તંભકુંભાદિ પદાર્થોનો પરભાગ દેખાતો નથી, માટે નથી અને જેનો પરભાગ ન હોય તેનો આગલો ભાગ દેખાતો હોય તો પણ ન હોય, કારણ કે આ આગલો ભાગ છે એમ તો જ કહેવાય જો પાછલો ભાગ હોય તો. આ રીતનું અનુમાન કરીને પરભાગ ન હોવાથી આરામ્ભાગ નથી. તેથી સંપૂર્ણ વસ્તુ નથી માટે શૂન્યતા જ છે. આવું અનુમાન તમે કરેલું છે ત્યાં ઉત્તર આ પ્રમાણે જાણવો.
અનુમાન દ્વારા જે સાધ્ય સિદ્ધ કરાતું હોય તે પ્રત્યક્ષથી અબાધિત (અવિરુદ્ધ) હોવું જોઈએ, તો જ તે અનુમાન સાચું કહેવાય. જો પ્રત્યક્ષપ્રમાણથી જે દેખાતું હોય તેનાથી (વિરુદ્ધ) બાધિત સાધ્ય સિદ્ધ કરાતું હોય તો તે હેતુ બાધિતહેવાભાસ કહેવાય છે. જેમકે