________________
૨૯૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
सव्वं सामग्गिमयं, नेगंतोऽयं जओऽणुरपएसो । अह सो वि सप्पएसो, जत्थावत्था स परमाणू ॥१७३७॥ (सर्वं सामग्रीमयं, नैकान्तोऽयं यतोऽणुरप्रदेशः । ૩થ સોડપ પ્રવેશ ત્રીવસ્થા પરમાણુ: II)
ગાથાર્થ - તથા સર્વે પણ વસ્તુઓ “સામગ્રી માત્રથી જ ઉત્પન્ન થાય છે” આવો એકાન્ત નિયમ નથી. કારણ કે “અણુ” એ અપ્રદેશી છે. હવે કદાચ તે અણુને તમે સપ્રદેશી કહેશો તો જ્યાં અવસ્થાન કરશો (અટકશો) ત્યાં તે પરમાણુ કહેવાશે. ૧૭૩૭ll
વિવેચન ગાથા ૧૬૯૫ ના ઉત્તરાર્ધમાં પૂર્વે તમે એમ કહેલું કે “વીસ સીમીમય'' સર્વે વસ્તુઓ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. માટી (ઉપાદાનકારણ) અને દંડ-ચક્રાદિ (નિમિત્તકારણ) આમ બન્નેની સામગ્રી મળવાથી જ ઘટાત્મક કાર્ય થતું દેખાય છે. પરંતુ એકલી માટીમાંથી ઘટ થતો નથી. એકલા દંડ-ચક્રાદિમાંથી પણ ઘટ થતો નથી. તેથી જો એક-એક પ્રત્યેક અવયવમાંથી જે કાર્ય ન થાય તે તેના સમૂહમાંથી કેમ થાય? જો રેતીના એક-એક કણમાં તેલ ન હોય તો રેતીના સમૂહમાંથી તેલ કેવી રીતે આવે ? માટે કાર્ય નથી તેથી સર્વનો અભાવ છે અને તેથી સામગ્રી પણ નથી જ. ઈત્યાદિ તમારા વડે ૧૬૯૫ મી ગાથામાં જે કંઈ કહેવાયું છે તેનો ઉત્તર આ પ્રમાણે છે -
સર્વે પણ વસ્તુઓ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે” આવા પ્રકારનો એકાન્ત નિયમ નથી. કોઈ કોઈ વસ્તુ સામગ્રીજન્ય છે અને કોઈ કોઈ વસ્તુ સામગ્રીજન્ય નથી, સ્વયં છે જ. જેમકે ચણક-ચણક-ચતુરણુક આદિ પુદ્ગલના જે જે સ્કંધો છે તે તે સ્કંધો બે પરમાણુ, ત્રણ પરમાણુ અને ચાર પરમાણુ આદિ સામગ્રી વડે ઉત્પન્ન થાય છે. માટે તેવા સ્કંધો સામગ્રીજન્ય છે. પરંતુ અંતિમ જે પરમાણુ છે કે જેને પ્રદેશો સંભવતા નથી અર્થાત્ અપ્રદેશ છે તે કોઈ વડે ઉત્પન થતો નથી, અનાદિ-નિત્ય છે. તે પરમાણુને સામગ્રીજન્ય કેમ કહેવાય ? માટે સર્વે સામગ્રીજન્ય છે આવો એકાન્ત નિયમ નથી. કોઈ સામગ્રીજન્ય છે અને કોઈક સ્વયં સહજ છે જ.
પ્રશ્ન - “અંતિમ પરમાણુ જેવો પદાર્થ છે” એવું કોના આધારે માનવું? પરમાણુ દેખાતો નથી, તો છે એની ખાત્રી શું ?
ઉત્તર - પરમાણુ પોતે ભલે ન દેખાય પરંતુ તેનો સમૂહ ભેગો થવાથી બનેલા કાર્યસ્વરૂપે પરમાણુ પણ જણાય જ છે. પરમાણુઓના સમૂહથી બનેલો ઘટ જો જણાય