________________
૨૯૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અમે દઢ સ્વીકાર કર્યો હોવાથી તે વચનને પ્રમાણભૂત છે એમ માનીને તેનાથી જણાવાતી શૂન્યતા સ્વીકારી લેવી જોઈએ. ઘણી દલીલો કરવી જોઈએ નહીં. અમે કહીએ છીએ માટે સાચું જ છે એમ માનીને શૂન્યતાસૂચક અમારું વચન તમારે પ્રમાણ માનવું જોઈએ.
ઉત્તર - તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. કારણ કે યેનકેન પ્રકારેણ માનેલો તમારો “અભ્યપગમ = સ્વીકાર એ પણ સત્ય છે કે મિથ્યા છે ? આવા પ્રશ્નો તો પુનઃ આવે જ. જો આ અભ્યપગ = સ્વીકાર સત્ય હોય તો એક સત્ય હોવાથી શૂન્યતા રહેતી નથી અને તમારો આ અભ્યપગમ = સ્વીકાર (અર્થાત માન્યતા) જો મિથ્યા છે. તો તેનાથી (તે માન્યતા મિથ્યા હોવાથી) શૂન્યતાની સિદ્ધિ ન થાય. ઈત્યાદિ પૂર્વની જેમ પુનઃ એના એ જ દોષો આવવારૂપી પુનરાવૃત્તિ જ થાય.
વળી તમે કહો છો કે “અમારો આ અભ્યપગમ = સ્વીકાર અર્થાત્ માન્યતા છે તે તમારે માની લેવી જોઈએ. ત્યાં પણ સ્વીકાર કરનાર કર્તા (અભ્યપગન્તા), આવા પ્રકારનો સ્વીકાર (અભ્યપગમ) અને આવા પ્રકારનું સ્વીકાર કરવા યોગ્ય વચન (અભ્યાગમનીય) એમ અભ્યપગન્તા, અભ્યપગમ અને અભ્યાગમનીય આ ત્રણનો સાવ માનો તો જ આ સ્વીકાર ઘટે અને આ ત્રણનો સદ્ભાવ સ્વીકારવા જતાં શૂન્યતા રહેતી જ નથી અને જો સર્વથા શૂન્યતા જ હોય તો આ અભ્યપગન્તા વગેરે ત્રણ તત્ત્વ સંભવે જ નહીં. માટે આ ત્રણ તત્ત્વ છે એમ જો સ્વીકારો છો તો શૂન્યતા ક્યાં રહી ? ઉડી જ ગઈ. તેથી વક્તા, વચન અને વચનીય તત્ત્વ આ સંસારમાં હોવાથી શૂન્યતા નથી જ. ૧૭૩૪-૧૭૩૫ll
सिकयासु किं न तेल्लं, सामग्गीओ तिलेसु वि किमत्थि? । किंव न सव्वं सिज्झइ, सामग्गीओ खपुष्फाणं? ॥१७३६॥ (सिकतासु किं न तैलं सामग्रीतस्तिलेष्वपि किमस्ति ? । किं वा न सर्वं सिध्यति सामग्रीतो खपुष्पाणाम्? ॥)
ગાથાર્થ - સામગ્રીમાત્રથી તલમાંથી જ તેલ કેમ નીકળે છે ? રેતીમાંથી તેલ કેમ નીકળતું નથી ? અથવા સામગ્રીથી આકાશપુષ્પાદિમાંથી સર્વ કાર્યો કેમ સિદ્ધ થતાં નથી ? /૧૭૩૬ //
વિવેચન - સર્વ પદાર્થોનો અભાવ માત્ર જ છે. અર્થાત્ સર્વથા શૂન્યતા જ છે. આમ માનવાથી સર્વ પ્રકારનો પ્રતિનિયત એવો જે લોકવ્યવહાર છે તેનો સંપૂર્ણપણે વ્યવચ્છેદ