________________
૨૮૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - આ સંસારમાં વિવક્ષાના વશથી નાત વસ્તુ પણ ઉત્પન થાય છે. મનાત વસ્તુ પણ ઉત્પન્ન થાય છે. નાતાજ્ઞાત વસ્તુ પણ ઉત્પન્ન થાય છે અને નાયમાન વસ્તુ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ સર્વથા કોઈ એક ભાંગે વસ્તુ ઉત્પન્ન થતી નથી. /૧૭૨૮
ઘટ રૂપીપણે નાવ ઉત્પન્ન થાય છે. સંસ્થાનથી મનાત ઉત્પન્ન થાય છે. બન્નેની સાથે વિવક્ષા કરવાથી માતાનાત ઉત્પન્ન થાય છે અને તે વિવક્ષિત સમયમાં ગાયમાન પણ ઉત્પન્ન થાય છે. /૧૭૨૯
પૂર્વકાલમાં કરાયેલો ઘટ હવે ઘટપણે, પરપર્યાયપણે અને ઉભયાત્મકપણે કરાતો નથી. તથા ઘટપણે ઉત્પન્ન થતો પણ કુંભ, પટપણે ઉત્પન્ન થતો નથી. /૧૭૩oll
આકાશાદિ પદાર્થો પણ નિત્યજાત હોવાથી સર્વથા ઉત્પન્ન થતા નથી. તેથી તે સૌમ્ય ! આ પ્રમાણે સંસારવત સર્વે પણ પદાર્થો દ્રવ્ય અપેક્ષાએ ઉત્પન્ન થતા નથી. પણ પર્યાય અપેક્ષાએ ભજના જાણવી. /૧૭૩૧
વિવેચન - આ ચારે ગાથાનો ભાવાર્થ તો અવતરણિકામાં જ કહેવાઈ ગયો છે. છતાં બાલજીવોની બુદ્ધિના વિકાસ માટે કંઈક વિસ્તારથી સમજાવાય છે. તે વ્યક્તપંડિત ! આ સંસારમાં ઘટ-પટ-મઠ આદિ જે કોઈ પદાર્થો (કાર્યો) ઉત્પન થાય છે તે સર્વે અમુક વિવક્ષાએ નાત છે અને ઉત્પન થાય છે. અમુક વિવક્ષાએ અનીત છે અને ઉત્પન્ન થાય છે. અમુક વિવક્ષાએ ગાતીનાત છે અને ઉત્પન્ન થાય છે અને અમુક વિવક્ષાએ ગાયમાન છે અને ઉત્પન્ન થાય છે. આમ ભિન્ન ભિન્ન વિવક્ષાથી ચારે ભાગે વસ્તુ ઉત્પન્ન થાય છે. પરંતુ માત્ર કોઈપણ એક જ ભાંગે વસ્તુ સર્વથા ઉત્પન થતી હોય એવું બનતું નથી. ભિન્ન-ભિન્ન નયોની વિવક્ષાએ ભિન્ન-ભિન્ન રીતે કાર્ય ઉત્પન્ન થાય છે. તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે -
(૧) વાત = પુદ્ગલદ્રવ્યરૂપે એટલે કે રૂપીપણે ઉપાદાનકારણમાં કાર્ય સત્તાગત રીતે શક્તિસ્વરૂપે નીતિ = રહેલું છે અને ઉત્પન્ન થાય છે. જે કાર્ય ઉપાદાનકારણમાં રહેલું નથી હોતું તે ઉત્પન્ન થતું પણ નથી. જેમકે “માટીમાં ઘટ નાત = રહેલો છે તો જ થાય છે. માટીપણે = પુદ્ગલદ્રવ્યપણે પૂર્વકાલે પણ છે જ. તેથી જ ઘટ બનાવવાનો અર્થી માટી જ લાવે છે. પથ્થર કે રેતી લાવતો નથી. કારણ કે તે સમજે છે કે માટીમાં જ ઘટ રહેલો છે પણ પત્થર કે રેતીમાં ઘટ રહેલો નથી. આ રીતે પૂર્વકાલીન ઉપાદાનકારણમાં (માટીમાં) રૂપીપણે = એટલે કે દ્રવ્યસ્વરૂપે ઘટાત્મક કાર્ય રહેલું છે અને આ રીતે સત્તાગતપણે જો કાર્ય રહેલું છે તો જ થાય છે. જે સત્તાગત રીતે હોતું નથી તે થતું પણ નથી. આ જ