SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૨૮૯ પ્રમાણે તલમાં તેલ, તખ્તઓમાં પટ, દૂધમાં દહીં, દહીંમાં માખણ અને માખણમાં ઘી વગેરે કાર્યો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યની શક્તિસ્વરૂપે સત્તાગત રીતે વાત = વિદ્યમાન છે તો જ ઉત્પન્ન થાય છે. (૨) સનાત = કોઈપણ કાર્ય પોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યની શક્તિસ્વરૂપે રહેલું હોવા છતાં પણ પ્રગટ પર્યાયરૂપે નીતિ = વિદ્યમાન નથી. તો જ ઉત્પન્ન થાય છે. જો પ્રગટ પર્યાયપણે પણ ઉત્પન્ન હોત તો તેને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન જ ન કરવો પડત. જેમકે માટીમાં ઘટ સત્તાગત રીતે વિદ્યમાન હોવા છતાં પણ “સંતાનો પુનાગો” = ઘટના પ્રગટ આકારપણે તે માટીમાં ઘટ બનેલો નથી તેથી જ દંડ-ચક્રાદિ સામગ્રી દ્વારા કુલાલ વડે તે માટીમાંથી ઘટ નીપજાવાય છે. સત્તાગતપણે માટીમાં અવશ્ય છે. પરંતુ સંસ્થાનપણે એટલે કે પ્રગટ ઘટાકારાત્મક પર્યાયપણે તે માટીમાં તે કાલે ઘટ નથી. તેથી પર્યાય અપેક્ષાએ મનાત = જે હજુ બન્યો નથી તે ઉત્પન્ન કરાય છે. કારણ કે મૃત્યિંડવાળી અવસ્થામાં તે ઘટ ઘટાકારપણે નથી. આ જ રીતે તલમાં તેલ પ્રગટ પર્યાયપણે બન્યું નથી માટે જ ઘાણી દ્વારા બનાવાય છે. તખ્તઓમાં પટ પ્રગટ પર્યાયપણે બન્યો નથી માટે જ તુરી-વેમાદિથી બનાવાય છે. દૂધમાં દહીં પ્રગટ પર્યાયસ્વરૂપે બન્યું નથી માટે જ ખટાશ દ્વારા બનાવાય છે. આમ સર્વત્ર પર્યાય અપેક્ષાએ મનાતી વસ્તુ જ ઉત્પન્ન થાય છે. (૩) નીતીન = આ બને નયોને સાથે જોડવાથી જ્ઞાતીની વસ્તુ ઉત્પન થાય છે. માટીદ્રવ્યમાં દ્રવ્યપણે સત્તાગત સ્વરૂપે રહેલો અને ઘટાકારાત્મકપણે નહી રહેલો એવો જ ઘટ બનાવાય છે. કારણ કે ઉત્પન્ન થતા એવા તે ઘટમાં દ્રવ્યરૂપે વાત પણું અને પર્યાયરૂપપણે સનાત પણે એમ બન્ને ભાવો રહેલા છે. તે જ પ્રમાણે તલમાં તેલ, તખ્તમાં પટ, દૂધમાં દહીં, દહીંમાં માખણ અને માખણમાં ઘી વગેરે કાર્યો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યપણે વાત અને પર્યાયપણે સનાત એમ ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય છે. (૪) નીયમીન = વર્તમાનકાલે હાલ કરાતો ઘટ જ ઉત્પન્ન થાય છે. જે અતીતકાલીન ઘટ છે તેમાં ઘટ બનાવવાની ક્રિયા સમાપ્ત થઈ ગઈ છે અને જે અનાગતકાલીન ઘટ છે તેમાં ઘટ બનાવવાની ક્રિયા હજુ શરૂ થઈ જ નથી. આમ અતીત અને અનાગત ઘટમાં ઘટ બનાવવાની ક્રિયાની અનુત્પત્તિ જ હોવાથી વર્તમાનકાલે નીયમીન = ઘટ બનાવવાની ક્રિયા દ્વારા નાયમાન એવો ઘટ ઉત્પન્ન કરાય છે. આ રીતે ભિન્ન-ભિન્ન નયોની વિવક્ષાના વશથી નીતીનાતાદ્રિ ચારે પ્રકારે (ચારે ભાંગે) કાર્ય ઉત્પન્ન કરાય છે. પરંતુ ચારમાંના કોઈપણ એક જ ભાંગાથી કાર્ય ઉત્પન્ન
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy