________________
૨૮૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પર્યાયાર્થિકનયથી (પર્યાયસ્વરૂપે) વર્તમાનકાલના પર્યાયને આશ્રયી સત્ છે, ભૂત-ભાવિકાલના પર્યાયને આશ્રયી સત્ છે, (તિરોભૂત) છે.
આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ સર્વથા સત્ કે સર્વથા અસત્ નથી. દ્રવ્યપણે સર્વે પણ સત્ છે. પર્યાયપણે વર્તમાનપર્યાયને આશ્રય આવિર્ભાવ છે = સત્ છે અને અતીતઅનાગતકાલના પર્યાયો વર્તમાનકાલે તિરોભૂત છે = કથંચિત્ અસત્ છે.
હવે કદાચ તમે એવો બચાવ કરો કે અમે તો પરને (પરવાદીને) સમજાવવા માટે નાત-જ્ઞાતિ-સમય ઈત્યાદિ પક્ષો પાડ્યા છે. પરંતુ અમારે પોતાને તો (સ્વપક્ષમાં તો) કંઈ માન્ય છે જ નહીં, શૂન્યતા જ માન્ય છે. તો આ બચાવ પણ ઉચિત નથી. કારણ આ સંસાર સર્વથા શુન્ય જ છે આવું માનનારાને “વ અને પર' જેવા પક્ષો જ સંભવતા નથી. જો “વ અને પર'' સ્વીકારો તો તમારી માનેલી શુન્યતા રહેતી જ નથી. તેથી આવા પ્રકારના ખોટા બચાવો કરવા વ્યાજબી નથી.
તલમાં તેલ, માટીમાં ઘટ, તજુમાં પટ, લોટમાં મોદક ઈત્યાદિ સર્વે પણ પદાર્થો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યાર્થિકનયથી નાત = સત્ છે અને ઉત્પન્ન થાય છે તથા પર્યાયાર્થિકનયથી પર્યાયપણે સનાત-મસન્ અપ્રગટ છે અને ઉત્પન્ન થાય છે. આમ અપેક્ષાભેદે કથંચિત્ જાત અને કથંચિત્ અજાતભાવે રહેલા પદાર્થો આ સંસારમાં ઉત્પન્ન થાય છે. આવી સમ્યમ્ બુદ્ધિ રાખવી જોઈએ. અને પૂર્વાપર અવિરુદ્ધ સુંદર વિચારો કરવા જોઈએ. ૧૭૨પ
વળી શૂન્યતા માનવામાં તમને બીજા પણ દોષો આવે છે. તે આ પ્રમાણે - जइ सव्वहा न जायं, किं जम्माणंतरं तदुवलम्भो । पुव्वं वाऽणुवलंभो, पुणो वि कालंतरहयस्स ? ॥१७२६॥ ( यदि सर्वथा न जातं, किं जन्मानन्तरं तदुपलम्भः । પૂર્વ વાડનુપત્નશ્મ:, પુનરપિ વાલાન્તરત?II)
ગાથાર્થ - જો વસ્તુ સર્વથા નાત જ હોય તો જન્મ પામ્યા પછી જ કેમ દેખાય છે ? અથવા પૂર્વકાલમાં કેમ દેખાતી નથીતથા જમ્યા પછી કાલાન્તરે નાશ થયા બાદ ફરીથી કેમ દેખાતી નથી ? /૧૭૨૬l
વિવેચન - ભગવાન વ્યક્તપંડિતને સમજાવતાં કહે છે કે તમારી દૃષ્ટિએ આ સંસારમાં જો સર્વથા શૂન્યતા જ છે. તો માટીનો જે ઘટ બને છે તેમાં મૃતિંડવાળી જે