________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૩ હવે નાત-અને ૩મય આવા પક્ષો પાડીને ખંડન કરવાનો શો અર્થ છે ? જો ઘટપટાદિ નાત છે, ઉત્પન્ન થયેલા છે, અસ્તિત્વ ધરાવે જ છે તો તેનાથી જ શૂન્યતા ઉડી જાય છે. હવે શૂન્યતા માનવાનો શો અર્થ છે ? આ બધા વિકલ્પો નિરર્થક જ છે કારણ કે વસ્તુને નાત માની એટલે “છે” એમ તો માની જ લીધું. હવે ખંડન કરીને શૂન્યતા સાધવાનો શો અર્થ છે ?
હવે જો એમ કહો કે નાત-જ્ઞાતિ અને ઉભય વગેરે જે પક્ષો અમે પાડેલા છે તેના આશ્રયભૂત પદાર્થને અમે વાત નથી માનતા, પણ મનાત = નહીં ઉત્પન્ન થયેલ અર્થાત્
સત્ માનીએ છીએ. તો તમને (એટલે કે આવું પૂછનારા વ્યક્ત પંડિતને અને તેના અનુયાયીઓને) બે દોષો આવશે. એક તો એ દોષ આવશે કે જો તમે સનાત જ માનો છો, તો અમારી સામે પ્રશ્નો પૂછતી વખતે એમ કેમ કહો છો કે જે આ જાત છે તે શું જાત છે અને જન્મે છે ? કે અજાત છે અને જન્મે છે ? કે ઉભય છે અને જન્મે છે ? આવા પ્રશ્નો પૂછતાં પહેતાં તમે જ કહો છો કે “જે આ જાત છે તે” હવે જો તમે સર્વે વસ્તુઓને જાત માનતા જ હો તો આવા પ્રશ્નો કેવી રીતે કરાય ? જાત માનવાથી જ અસ્તિત્વ તો સ્વીકારી જ લીધું. હવે જો તમે સર્વે પદાર્થોને અજાત માનતા હો તો “જે આ જાત છે તે” આમ બોલવામાં તમારા પોતાના વચનોનો જ પરસ્પર વિરોધ આવ્યો એટલે “સ્વવચનવિરોધ” નામનો દોષ લાગે. આ એક દોષ થયો.
શિૐ = વળી જો વસ્તુ તમારા મતે મનીત = સત્ જ છે. તો આ જાત-અજાત અને ઉભય વગેરે વિકલ્પોનો કોઈ આધાર જ રહેશે નહીં. તેથી નિરાધાર વિકલ્પો થવાથી આવા વિકલ્પો નિરર્થક જ થશે. હવે કદાચ એમ કહો કે જે વસ્તુ મનાત = સત્ હોય તો પણ જ્ઞાન મેળવવા તેમાં આવો વિકલ્પો પાડી શકાય છે. તો આકાશ-પુષ્પાદિ સર્વથા અસત્ પદાર્થોમાં આવા વિકલ્પો કેમ પાડતા નથી ? ત્યાં પણ આવા વિકલ્પો પાડીને જ્ઞાન મેળવવું જોઈએ. માટે આ બચાવ પણ ખોટો છે. આ બીજો દોષ છે. અથવા તમારા મતે સર્વથા શૂન્યતા હોવાથી જેમ આકાશપુષ્પાદિ મનાત-સત્ છે. તેવી જ રીતે ઘટપટાદિ પણ નાત-સત્ જ છે. બન્ને જગ્યાએ અસત્પણું એકસરખું સમાન જ છે. તો નાતીનાતાદ્રિ ના વિકલ્પો કાં તો બન્ને સ્થાને થવા જોઈએ અથવા આકાશપુષ્પાદિમાં જ આવા વિકલ્પો થાય અને ઘટપટાદિમાં ન થાય. આમ વિપર્યય પણ (ગાથા ૧૭૦૮ માં કહ્યા પ્રમાણે) થવો જોઈએ. પરંતુ ઘટ-પટાદિમાં જ આવા વિકલ્પો ઉઠે છે. આકાશપુષ્પાદિમાં આવા વિકલ્પો ઉઠતા નથી. તેથી બન્નેનું અસત્પણું સમાન નથી. આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે અને ઘટ-પટાદિ દ્રવ્યાર્થિક નયથી (દ્રવ્યપણે) સત્ છે.