________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
હવે જો એમ કહો કે “ઘટ અને શૂન્યતા’’ ત્તે = આ બન્ને સર્વથા એક છે. એટલે કે અભિન્ન છે. તો ઘટ અને શૂન્યતા એકમેક થવાથી ઘટમાં જ શૂન્યતા સમાઈ જવાથી ઘટદ્રવ્ય જ છે આમ સિદ્ધ થશે. પણ શૂન્યતા જેવું કોઈ તત્ત્વ જુદું રહેતું જ નથી. બન્ને ભેગાં થયેલાં હોય તો ભેગાં પણ દેખાવાં તો જોઈએ ને ? માત્ર ઘટ-પટાદિ પદાર્થો જ (ધર્મી જ) ચક્ષુથી ઉપલભ્યમાન થાય છે. પણ શૂન્યતા નામનો ઘટનો ધર્મ તો ત્યાં કોઈ ઉપલભ્યમાન થતો નથી. શૂન્યતા નામનો ધર્મ પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતો નથી. અનુમાનાદિ થાય તેવાં કોઈ લિંગો નથી. માટે સર્વપ્રમાણોથી શૂન્યતાની અનુપલબ્ધિ જ છે.
૨૭૬
આ રીતે ઘટ-અસ્તિત્વ” વચ્ચે જેવા વિકલ્પો તમે કલ્પો છો તેવા સર્વે પણ વિકલ્પો “ઘટ-શૂન્યતા” વચ્ચે પણ સંભવી શકે છે. માટે આ વાત તુચ્છ છે. અસાર છે. II૧૭૨૦॥
विण्णाण-वयण-वाईणमेगया तो तदत्थिया सिद्धा । अण्णत्ते अण्णाणी निव्वयणो वा कहं वाई ? ॥१७२१ ॥
(વિજ્ઞાન-વચન-વાહિનોરેતા તતસ્તસ્તિતા સિદ્ધા।
अन्यत्वे अज्ञानी निर्वचनो वा कथं वादी ? ॥ )
ગાથાર્થ - વિજ્ઞાન-વચનની સાથે વાદીની જો એકતા માનશો તો વસ્તુની અસ્તિતા સિદ્ધ થશે અને જો ભિન્નતા માનશો તો અજ્ઞાની અને વચનરહિત એવો વાદી શૂન્યતાને કેવી રીતે સાધી શકશે ? ||૧૭૨૧/
વિવેચન - તર્કોથી તો તમે જેવું અસ્તિતાનું ખંડન કરો છો. તેવું જ શૂન્યતાનું ખંડન પણ શક્ય જ છે. તે આ પ્રમાણે
‘‘શૂન્ય સર્વમેવ વિશ્વત્રયમ્’’ “સમસ્ત એવું ત્રણે વિશ્વ શૂન્યાત્મક છે’” આવા પ્રકારનું તમારું જે વિજ્ઞાન (તમારા મગજમાં જે વિશિષ્ટ એવું જ્ઞાન) વર્તે છે તે વિજ્ઞાન, તથા આવા પ્રકારનું સ્વરૂપ સમજાવનારું તમારા વડે બોલાતું વચન ઉચ્ચાર એટલે કે બોલો છો તે વચન, આમ આ વિજ્ઞાન અને વચન એમ બન્નેની સાથે વાદી એવા તમારી એકતા (અભેદતા) છે ? કે અનેકતા (ભેદતા) છે ? કહો આ બેમાં શું છે ? વિજ્ઞાન અને વચનની સાથે વાદીની એકતા માનો છો કે અનેકતા માનો છો ? બોલો જોઈએ તમે શું માનો છો ?
જો એકતા (અભેદતા) છે આમ કહેશો તો વિજ્ઞાન પણ છે અને તમારા વડે ઉચ્ચાર કરાતાં વચનો પણ આ સંસારમાં જો છે. તો તેનાથી અભિન્ન વાદી એવા તમે પણ જગતમાં છો જ. આ રીતે વિચારતાં વિજ્ઞાન, વચન અને વાદી જગતમાં વિદ્યમાન હોવાથી