________________
૨૭૫
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત હે વ્યક્તપંડિત ! ઘટ-પટ આદિ પદાર્થો છે એમ જેઓ પદાર્થોનું અસ્તિત્વ માને છે તેનું ખંડન કરવા તમારા વડે ૧૬૯૩ મી ગાથામાં જે એકવાનેકત્વ (અભેદત્વભેદત્વ)ના વિકલ્પો કરાયા છે અને તેના વડે “અસ્તિ” (પદાર્થો છે) એમ માનનારાનું જે તમે ખંડન કરો છો તેની જેમ જ તમે સર્વે પદાર્થોની શૂન્યતા માનો છો. ત્યાં પણ આ જ વિકલ્પો થઈ શકે છે અને શૂન્યતાનું પણ ખંડન થઈ શકે છે. આ વાત જણાવતાં પરમાત્માશ્રી મહાવીરપ્રભુ કહે છે કે –
घडसून्नयन्नयाए वि सुन्नया का घडाहिया सोम्म ! । एगत्ते घडओच्चिय, न सुन्नया नाम घडधम्मो ॥१७२०॥ (घटशून्यताऽन्यतायामपि शून्यता का घटाधिका सौम्य ! । પવિત્વે પટેલ વ ન શૂન્યતા નામ પરથ: II)
ગાથાર્થ - ઘટ અને શૂન્યતાને અન્ય (ભિન) માનશો તો તે સૌમ્ય ! ઘટથી અધિક (ભિન) એવી તે શૂન્યતા શું છે ? અર્થાત્ નથી અને ઘટ તથા શૂન્યતાને સર્વથા એક માનશો તો પણ ઘટ જ છે એમ સિદ્ધ થશે. પરંતુ શૂન્યતા નામનો ઘટધર્મ સિદ્ધ થતો નથી. /૧૭૨all
વિવેચન - હે વ્યક્તપંડિત ! પ્રથમ તો આ વાત છે કે તમે જે “ઘટ અને તેનું અસ્તિત્વ ભિન્ન છે કે અભિન્ન છે ?” આવા એકાન્તવાદના વિકલ્પો પાડીને અસ્તિત્વનું ખંડન કરો છો અને શૂન્યતાને સ્થાપો છો ત્યારે “ઘટ અને તેનું અસ્તિત્વ” તો પ્રથમ સ્વીકારી જ લીધું છે. ભિન્ન છે કે અભિન્ન છે આ તો તેના પર્યાયની ચર્ચા છે. અસ્તિત્વ સ્વીકાર્યા પછી જ આ બધા વિકલ્પો ઉઠે છે અને જો એકવાર અસ્તિત્વ સ્વીકારી લો છો તો પછી શૂન્યતા રહેતી જ નથી. છતાં તમે જેવા વિકલ્પો “ઘટ અને અસ્તિત્વની” વચ્ચે કહો છો તેવા જ વિકલ્પો “ઘટ અને શૂન્યતાની” વચ્ચે પણ કહી શકાય છે અને તેવા વિકલ્પો પાડવા વડે અસ્તિત્વની જેમ શૂન્યતા પણ ઉડાડી શકાય છે. તે આ પ્રમાણે -
હે વ્યક્તપંડિત ! અમે તમને પૂછીએ છીએ કે આ “ઘટ અને તેની માનેલી શૂન્યતા” આ બન્ને ભિન્ન છે કે બન્ને અભિન છે ? જો ટિશૂન્યતાડતીયમ્ = ઘટ અને આ શૂન્યતાને ભિન્ન છે. આમ માનશો તો ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી જેવો ઘટ જણાય છે તેવી તેનાથી ભિન્ન એવી શૂન્યતા પણ જણાવી જોઈએ. પરંતુ ચક્ષુ આદિથી ઘટ જ જણાય છે પણ તેનાથી અધિક (એટલે કે ઘટથી ભિન) એવી શુન્યતા જેવું કોઈ તત્ત્વ જણાતું નથી. તેથી શૂન્યતા નથી જ.