________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વ્યતિરેકદૃષ્ટાન્ત જાણવું. દષ્ટાન્ત બે જાતનાં હોય છે. એક અન્વય અને બીજુ વ્યતિરેક, ત્યાં લિંગ હોતે છતે લિંગી (સાધ્ય) હોય જ એમ લિંગ-લિંગીના સહચારને જણાવનારું જે દૃષ્ટાન્ત તે અન્વયદેષ્ટાન્ત કહેવાય છે અને જ્યાં લિંગી ન હોય ત્યાં તે લિંગ પણ ન હોય એમ લિંગી અને લિંગના અભાવના સહચારને જણાવનારું જે દૃષ્ટાન્ત તે વ્યતિરેક દૃષ્ટાન્ત કહેવાય છે.
આત્મા કોઈપણ ઈન્દ્રિયોથી જણાતો નથી. માટે નથી, આકાશપુષ્પની જેમ. આ અન્વયદૃષ્ટાન્ત થયું. જો હોત તો ઘટ-પટની જેમ જણાત તે વ્યતિરેક દૃષ્ટાન્ન થયું. ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવો તર્ક વર્તે છે. વળી કોઈ કોઈ વસ્તુ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતી ન હોય પરંતુ તેનો સમૂહ ભેગા મળીને કાર્યરૂપે કોઈ પદાર્થ બન્યો હોય તો તે કાર્યરૂપે પ્રત્યક્ષ જણાય છે. આવું પણ આ સંસારમાં બને છે. જેમકે “મળવોfપ દાપ્રત્યક્ષા:” = પરમાણુઓ પણ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા નથી. છતાં ઘટ-પટ આદિ કાર્યરૂપે પરિણામ પામેલા તે પરમાણુઓ કાર્યાત્મકપણે દેખાય છે. પરંતુ આત્મા તો આ પ્રમાણે સમૂહરૂપે સાથે મળીને કાર્યાત્મકપણે બન્યો છતો પણ ક્યારેય જણાતો નથી. તેથી આત્મા તો પ્રત્યક્ષપ્રમાણથી અત્યન્ત અગોચર છે.
જે વસ્તુ સાક્ષાત્ જણાય તે પ્રત્યક્ષ જેમકે ઘટ-પટ અને જે વસ્તુ પોતે સાક્ષાત્ ન દેખાય પણ તેના સમૂહરૂપે બનેલા કાર્યપણે જણાય તે કથંચિત્ પ્રત્યક્ષ, જેમકે પરમાણુ
ચણુક-ચણુક આદિ. આ પદાર્થો સાક્ષાત્ ભલે દેખાતા નથી. પરંતુ સમૂહાત્મકપણે ઘટાદિકાર્ય રૂપે જણાય છે. માટે પરમાણુઓ વગેરે કથંચિત્ પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ આત્મા તો સાક્ષાત્ પણ જણાતો નથી અને કાર્યરૂપે પણ જણાતો નથી. તેથી સર્વથા અપ્રત્યક્ષ છે. આ વાત સમજાવવા માટે જ મૂલગાથામાં પ્રત્યક્ષ શબ્દની આગળ “અત્યન્ત” શબ્દ લગાડવામાં આવ્યો છે. આ રીતે આત્મા અત્યન્ત અપ્રત્યક્ષ હોવાથી નથી જ. આવો તર્ક હે ઈન્દ્રભૂતિ તમારા મનમાં વર્તે છે. ll૧૫૪૯
અવતરણ - વળી તમે મનમાં આ પ્રમાણે માનો છો કે - न य सोऽणुमाणगम्मो, जम्हा पच्चक्खपुव्वयं तं पि । पुव्वोवलद्धसंबंधसरणओ लिंगलिंगीणं ॥१५५०॥ (न च सोऽनुमानगम्यः, यस्मात्प्रत्यक्षपूर्वकं तदपि । पूर्वोपलब्धसम्बन्धस्मरणतो लिङ्गलिङ्गिनोः ॥)