________________
૨૭૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
जावि अविक्खा विक्खणमविक्खगोऽविक्खणिज्जमणविक्ख । सा न मया सव्वेसु वि संतेसु न सुन्नया नाम ॥१७१६॥
(याऽप्यपेक्षाऽपेक्षणमपेक्षकोऽपेक्षणीयमनपेक्ष्य ।
सा न मता सर्वेष्वपि सत्सु न शून्यता नाम ॥ )
ગાથાર્થ - તથા જે આ અપેક્ષા કહો છો તે પણ અપેક્ષણક્રિયા, અપેક્ષક કર્તા અને અપેક્ષણીયકર્મ આ ત્રણની અપેક્ષા વિના સંભવતી નથી અને તે સર્વ (ત્રણે) હોતે છતે શૂન્યતા જેવી કોઈ વસ્તુ રહેતી નથી. ।।૧૭૧૬।।
વિવેચન - હે વ્યક્તપંડિત ! તમે જે અપેક્ષામાત્રથી જ પદાર્થોની સિદ્ધિ કરો છો
તે ઉચિત નથી. કારણ કે તમારો કહેલો આ હેતુ સાચો નથી. વિરુદ્ધ હેત્વાભાસ થાય છે. કારણ કે તમે જે હેતુ કહો છો તે સાધ્યની સાથે અન્વય પામવો જોઈએ તેને બદલે સાધ્યના અભાવની સાથે અર્થાત્ વિપક્ષમાં જ અન્વય પામે છે. આ રીતે હેતુ વિપક્ષવૃત્તિવાળો હોવાથી વિરુદ્ધહેત્વાભાસ થાય છે. તે આ પ્રમાણે -
એકબીજાની અપેક્ષા રાખવા સ્વરૂપ જે ક્રિયા તે,
(૧) અપેક્ષણ (૨) અપેક્ષક
અપેક્ષા લગાડનારો જીવ નામનો જે કર્તા પદાર્થ છે તે. (૩) અપેક્ષણીય = જેની અપેક્ષા રાખવામાં આવે છે તે કર્માત્મક પદાર્થ.
આ અપેક્ષણ-અપેક્ષક અને અપેક્ષણીય ત્રણે વસ્તુ પ્રથમથી જ સત્ હોય, જગતમાં વિદ્યમાન હોય તો જ અપેક્ષક એવો કર્તા પુરુષ અપેક્ષણીય વસ્તુની અપેક્ષા રાખીને અન્ય પદાર્થમાં અપેક્ષા લગાડવાની ક્રિયા કરે. પરંતુ આ ત્રણ વસ્તુ પ્રથમથી અસત્ જ હોય, શૂન્ય જ હોય તો આ ત્રણની વિદ્યમાનતા વિના તે અપેક્ષા લગાડવી સંભવી અગ્નિ-કાષ્ઠ અને દાહાત્મક ક્રિયા આ ત્રણે સત્ હોય અર્થાત્ અસ્તિત્વ ધરાવતા હોય તો જ ત્રણેની પરસ્પર અપેક્ષા સંભવે, પરંતુ જો પ્રથમથી આ ત્રણનું અસ્તિત્વ જ ન હોય તો પરસ્પર અપેક્ષા જ ન સંભવે. તેમ અહીં અપેક્ષણ ક્રિયા, અપેક્ષક કર્તા અને અપેક્ષણીય પદાર્થ આ ત્રણની વિદ્યમાનતા વિના પરસ્પર અપેક્ષા કેમ ઘટે ? અર્થાત્ વસ્તુના અસ્તિત્વ
જ નહીં.
વિના અપેક્ષા સંભવે જ નહીં. તે ત્રણની સત્તા હોય તો જ પરસ્પર અપેક્ષા સંભવી શકે.
આ રીતે વિચારતાં આ હેતુ ખોટો છે.
=
=
હ્રસ્વાદિ અંગુલીને દીર્થાદિ અંગુલીની અપેક્ષા છે એમ તમે જે કહો છો, પણ તે અપેક્ષા (૧) અપેક્ષણરૂપ ક્રિયા, (૨) અપેક્ષક એવા કર્તા અને (૩) અપેક્ષણીય સ્વરૂપ