________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૫૯ કહેવરાવવું જોઈએ અથવા પ્રદેશિની અંગુલિમાં પોતાનામાં પોતાની જ અપેક્ષાએ પણ હૃસ્વત્વ કહેવરાવવું જોઈએ. કારણ કે મધ્યમ અંગુલી પણ તમારા મતે તો અસત્ જ છે. હવે જો અસત્ એવી મધ્યમાની અપેક્ષાએ પ્રદેશિનીમાં હ્રસ્વત્વ હોય તો અસત્ એવી પોતાની અપેક્ષાએ પણ પોતાનામાં હ્રસ્વત્વ હો.
આ રીતે જો તમે પ્રદેશિનીને સર્વથા અસત્ જ છે. આમ કહેશો અને અસત્ એવી તેમાં મધ્યમાની અપેક્ષાએ હસ્વત્વ કહેવાતું હોય તો ખરવિષાણાદિ જે અસત છે તેમાં પણ હૃસ્વત્વ કહેવરાવવું જોઈએ. અતિશય દીર્ઘ એવી લાકડી પણ અસત્ હોવાથી તે લાકડીમાં પણ હ્રસ્વત્વ કહેવરાવવું જોઈએ. તથા પોતાની અપેક્ષાએ પોતાનામાં પણ હ્રસ્વત્વ હોવું જોઈએ. સર્વ સ્થાનોમાં અસત્પણું એકસરખું સમાન જ છે. પરંતુ સંસારમાં આવું ક્યાંય કહેવાતું નથી. તેથી પ્રદેશિની અંગુલી વગેરે પદાર્થો સર્વથા અસત્ હોય આ વાત તદન મિથ્યા છે. સંસાર શૂન્ય છે. આ વાત પણ સર્વથા ખોટી છે. તેથી “પ્રદેશિની” નામની અંગુલી (અને તેની જેમ સર્વે પણ પદાર્થો) વાસ્તવિકપણે સત્ છે. સ્વયં તે સત્ વસ્તુ છે. હ્રસ્વ-દીર્ઘ-ઉભયાદિ અનંત ધર્માત્મક તે વસ્તુ છે. અંગુલી આદિ પદાર્થો પણ સત્ છે અને તેમાં રહેલા ધર્મો પણ સત્ છે. ફક્ત તે તે સહકારિ પદાર્થોની સન્નિધિ હોતે છતે તે તે ધર્મના સ્વરૂપની અભિવ્યક્તિ થવાથી તે તે ધર્મનું જ્ઞાન થાય છે. સારાંશ કે પ્રદેશિની અંગુલી પોતે સત્ છે. અનંત ધર્માત્મક છે. તેમાં હ્રસ્વ-દીર્ઘ આદિ અનંત ધર્મો સ્વયં તેની અંદર છે જ. ફક્ત તે પ્રદેશિની પાસે મધ્યમાને ઉભી કરો તો તેનું હૃસ્વત્વ અભિવ્યક્ત થાય છે. અર્થાત્ મધ્યમાં લાવવાથી તેના સ્વત્વનું જ જ્ઞાન થાય છે અને જો તેની પાસે અંતિમ એવી કનિષ્ઠા અંગુલી ઉભી કરીએ તો તેની અપેક્ષાએ તેમાં સ્વયં રહેતું એવું દીર્ઘત્વ અભિવ્યક્ત થાય છે અને તેનું જ્ઞાન થાય છે.
પ્રત્યેક વસ્તુઓ ઉપર સમજાવ્યા પ્રમાણે સત્ છે. અનંત ધર્માત્મક છે અને સાપેક્ષપણે તે તે ધર્મો તેમાં અભિવ્યક્ત થાય છે. તેથી તે તે ધર્મનું જ્ઞાન થાય છે. પરંતુ કોઈપણ વસ્તુ (પછી પ્રદેશિની અંગુલી પણ) સર્વથા અસત્ હોય અને તેમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વત્વ આદિનું જ્ઞાન થતું હોય આમ બનતું નથી. અસત્ હોય અને અપેક્ષાથી હૃસ્વવાદિનું જ્ઞાન થાય આ વાત ઉચિત નથી, યુક્તિયુક્ત પણ નથી. આ જ પ્રમાણે સર્વથા અસત્ હોય તેમાં દીર્ઘત્વનું અને ઉભયાદિનું પણ જ્ઞાન થતું નથી. પરંતુ સ્વદ્રવ્યસ્વક્ષેત્રાદિથી જે સત્ છે. તેમાં જ દીર્ઘ અને ઉભયાદિનો વ્યવહાર થાય છે. માટે જગતના સર્વે પણ પદાર્થો સ્વયં સત્ છે. સર્વથા અસત્ નથી અને સત્ એવા તે તે પદાર્થોમાં હ્રસ્વ