________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૫૩
( सर्वाभावे च कुतः स्वप्नोऽस्वप्न इति सत्यमलीकमिति । गन्धर्वपुरं पाटलिपुत्रं, तथ्य उपचार इति ॥ कार्यमिति कारणमिति च, साध्यमिदं साधनमिति कर्तेति । वक्ता वचनं वाच्यं, परपक्षोऽयं स्वपक्षोऽयम् ॥ किं वेह स्थिर-द्रवोष्ण-चलताऽरूपित्वानि नियतानि । शब्दादयश्च ग्राह्याः, श्रोत्रादिकानि ग्रहणानि ॥ समता विपर्ययो वा, सर्वाग्रहणं वा किं न शून्ये । किं शून्यता वा सम्यक्, सद्ग्रहः किं वा मिथ्यात्वम् ॥ कथं स्वपरोभयबुद्धिः, कथं च तेषां परस्परमसिद्धिः । ૩થ પરમત્ય મળ્યતે, સ્વ-પરમસિવિશેષ વુd: I)
ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ હોતે છતે “આ સ્વપ્ન અને આ અસ્વપ્ન છે, “આ સત્ય છે આ મિથ્યા છે, “આ ઈન્દ્રજાલ સ્વરૂપનગર છે અને આ સાચું પાટલિપુત્ર નગર છે”, આ સાચો પદાર્થ છે અને આ ઔપચારિક પદાર્થ છે” આવો ભેદ કેવી રીતે થશે ? ll૧૭0પી
આ કાર્ય છે અને આ કારણ છે” “આ સાધ્ય છે અને આ સાધન છે” તથા “આ કર્તા છે” ઈત્યાદિ, “આ વક્તા છે, આ વચન છે અને આ વાચ્ય છે” “આ પરપક્ષ છે અને આ સ્વપક્ષ છે” ઈત્યાદિ વ્યવહાર સર્વશૂન્યતામાં કેમ ઘટશે ? /૧૭૦૬/l.
તથા પાંચે ભૂતોમાં અનુક્રમે સ્થિરત્વ (કઠિનત્વ), કવીભૂતત્વ, ઉષ્ણત્વ, ચંચલત્વ, અરૂપિત્ર વગેરે પ્રતિનિયત સ્વભાવો કેમ ઘટશે ? શબ્દાદિ પાંચ વિષયો એ ગ્રાહ્ય અને શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયો એ ગ્રહણનાં સાધન છે આવો વ્યવહાર પણ સર્વશૂન્યતામાં કેમ ઘટશે? l/૧૭૦૭ll
સર્વશૂન્યતા માન્ય છતે સમાનપણું કે વિપરીતપણું કે સર્વ ભાવોનું અગ્રહણપણું કેમ થતું નથી ? અથવા શૂન્યતા એ જ સમ્યગુ છે અને સત્ય વસ્તુનું ગ્રહણ એ મિથ્યાત્વ છે. આમ કેમ ? /૧૭૦૮
તથા આ સ્વ-પર અને ઉભયની બુદ્ધિ કેવી રીતે થાય ? તથા તે ત્રણેની અસિદ્ધિ પણ કેમ થાય ? હવે જો એવો બચાવ કરો કે આ તો સમજાવવા પુરતું પરની અપેક્ષાએ કહ્યું છે, તો સર્વથા શૂન્યતા હોતે છતે આ સ્વ અને આ પર એવું વિશેષણ પણ બુદ્ધિમાં ક્યાંથી આવે ? આમ સર્વશૂન્યતામાં ઘણા દોષો આવે છે. ll૧૭૦૯ll