________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
સંશયાત્મક હોય કે વિપરીત હોય કે ભ્રમાત્મક હોય પણ એક પ્રકારનું જ્ઞાનવિશેષ જ છે. તેથી તે અવશ્ય ભાવાત્મક છે, સત્ છે તથા સંશય-વિપરીત બોધ-અનધ્યવસાયબોધ અને નિર્ણયાત્મક બોધ આ સઘળા ભાવો વિજ્ઞાનાત્મક હોવાથી સત્ છે. તેમ સ્વપ્ન પણ વિજ્ઞાનાત્મક હોવાથી સત્ છે, ભાવાત્મક છે. શૂન્યાત્મક નથી.
૨૫૨
જે
(૨) સ્વનો ભાવાત્મ:, નૈમિત્તિòાત્, ઘટવત્ આ બીજું અનુમાન છે. સ્વપ્ન એ ભાવાત્મક વસ્તુ છે. સત્ વસ્તુ છે કારણ કે નિમિત્તોથી થાય છે માટે, ઘટની જેમ, જે વસ્તુ નિમિત્તોથી બને છે તે તે ભાવાત્મક જ હોય છે. જેમકે ઘટ એ દંડ-ચક્રાદિ નિમિત્ત સામગ્રીથી બને છે માટે સત્ છે. તેમ આ સ્વપ્ન પણ ઉપરની ગાથામાં કહેલાં દશ નિમિત્તોથી આવે છે. માટે નૈમિત્તિક હોવાથી ઘટની જેમ સત્ છે. ભાવાત્મક છે, પણ શૂન્યાત્મક નથી. સ્વપ્નનાં નિમિત્તો ઉપરની ગાથામાં સમજાવ્યાં જ છે. આ રીતે સ્વપ્ન પણ જ્ઞાનગુણ હોવાથી જીવને જ આવે છે. જડને ક્યારેય સ્વપ્ન આવતું નથી. માટે સ્વપ્ન એ વિજ્ઞાનગુણ હોવાથી સત્ છે તથા સ્વપ્નનાં નિમિત્તો પણ સત્ છે, પણ શૂન્યાત્મક નથી.
||૧૭૦૪॥
જો સર્વથા શૂન્યતા જ છે આમ માનશો તો “સ્વપ્ન-અસ્વપ્ન”, “સત્ય-મિથ્યા”, “કાર્ય-કારણ'' ઈત્યાદિ સકલ વ્યવહારનો અભાવ જ થશે. આ વાત સમજાવતા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
सव्वाभावे य कओ, सुमिणोऽसुमिणोत्ति सच्चमलिअंति । गंधव्वपुरं पाडलिपुत्तं, तत्थोवयारोति ॥ १७०५ ॥
कज्जंति कारणंति य, सज्झमिणं साहणंति कत्तत्ति । वत्ता वयणं वच्चं परपक्खोऽयं सपक्खोऽयं ॥ १७०६ ॥ किं वेह थिरदवोसिण, चलयारूवित्तणाई निययाई । सद्दादओ य गज्झा, सोत्ताइयाइं गहणाई ? ॥ १७०७ ॥ समया विवज्झओ वा, सव्वागहणं व किं न सुण्णम्मि । किं सुण्णया व सम्मं, सग्गहो किं व मिच्छत्तं ॥ १७०८ ॥ किह सपरोभयबुद्धी, कहं च तेसिं परोप्परमसिद्धी । अह परमईए भण्णइ, स- परमइविसेसणं कत्तो ॥१७०९॥