________________
૨૪૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વસ્તુઓ જણાય છે તે તે વસ્તુઓને શેય કહેવાય છે. શેય એટલે જાણવાલાયક પદાર્થ. આમ ત્રણ પ્રમાણો અને ઘટ-પટ આદિ અનેક પદાર્થો જોય છે. પ્રત્યક્ષાદિ ત્રણે પ્રમાણોથી પ્રસિદ્ધ થતી વસ્તુઓ (જ્ઞયપદાર્થો) આ સંસારમાં સત્ છે. આમ માનીએ તો જ તે વસ્તુ અહીં છે કે અહીં નથી આવો સંશય થાય છે. પ્રમાણો અને પ્રમાણોથી ગમ્ય વસ્તુઓ સંસારમાં હોય તો જ તે સંબંધી સંશય થવો શક્ય છે.
હવે જો સર્વથા શન્યતા જ હોય તો કોઈ પ્રમાણ પણ નથી અને કોઈ પ્રમેય પણ નથી જ, તો પછી સંશય કોને થાય ? કોના વિષયક થાય ? સંશય થાય જ • કે સંશય પણ એક પ્રકારનું જ્ઞાન જ હોવાથી જ્ઞાતા એવા આત્મા અને શેય એવી ઘટપટાદિ અર્થસામગ્રી વિના કેમ સંભવે ? સંશયાત્મક જ્ઞાન પણ જ્ઞાતા અને શેય આમ બને વડે જ ઉત્પન્ન થાય છે. જ્ઞાતા અને શેયાદિ સામગ્રી વિના સંશયાત્મક જ્ઞાન પણ સંભવતું નથી.
| સર્વથા શૂન્યતા માન્ય છતે જ્ઞાતા, શેય અને પ્રમાણોનો અભાવ હોતે છતે સંશયની ઉત્પત્તિનું મૂલ જ ન હોવાથી સંશયનો જન્મ જ ઘટશે નહીં. આ જ વાત ગ્રંથકારશ્રી આગલી ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ll૧૬૯૯ાા
जं संसयादओ नाणपज्जया तं च नेयसंबद्धं । सव्वन्नेयाभावे न संसओ तेण ते जुत्तो ॥१७००॥ ( यत् संशयादयो ज्ञानपर्यायास्तच्च ज्ञेयसंबद्धम् । સર્વથામાવે ન સંશયતે તે યુવત: I)
ગાથાર્થ - જે કારણથી સંશયાદિ જ્ઞાનના પર્યાયો છે. તે શેયની સાથે સંબંધવાળા છે. સર્વથા શેયનો અભાવ માન્ય છતે તમને જે સંશય થાય છે તે પણ ઘટશે નહીં. /૧૭૦oll
વિવેચન - સંશય-વિપર્યય-અનવ્યવસાય અને નિર્ણય આ સઘળા જ્ઞાનાત્મક પર્યાયો (ધર્મો) છે. (૧) સ્થાણુ છે કે પુરુષ છે આમ ડોલાયમાન જે બોધ તે સંશય, (૨) સ્થાણુ હોય છતાં આ પુરુષ જ છે આવો ઉલટો જે બોધ તે વિપર્યય, (૩) દૂર દૂર જે દેખાય છે તે કંઈક છે આવા પ્રકારનો અસ્પષ્ટ જે બોધ તે અનવ્યવસાય અને (૪) સ્થાણુ હોય ત્યાં સ્થાણુ જ છે અને પુરુષ હોય ત્યાં પુરુષ જ છે આવા પ્રકારનો જે યથાર્થબોધ તે નિર્ણય. આ ચારે જ્ઞાનાત્મક પર્યાયો છે તે ચારે ધર્મો શેય નામના ધર્મીની સાથે સંબંધવાળા