SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત ૨૪૫ વિવેચન - વળી હે વ્યક્તપંડિત ! તમે એમ માનો છો કે આ સંસારમાં સર્વથા શૂન્યતા જ છે. કંઈ જ નથી. જો આ રીતે સર્વે પણ પદાર્થોની શૂન્યતા જ હોય, તો સર્વે પણ પદાર્થોનો અભાવ સમાન હોવા છતાં સ્થાણુ-પુરુષમાં, સર્પ-રજુમાં શુક્તિ-રજતમાં જ સંશય થાય છે. પણ આકાશપુષ્પ કે વધ્યાપુત્ર - કે ખરશૃંગાદિમાં સંશય કેમ થતો નથી ? કહેવાનો આશય એ છે કે જે વસ્તુ આ સંસારમાં સર્વથા અસત્ હોય છે એવા આકાશપુષ્પાદિનો સંશય કોઈને પણ ક્યારેય પણ થતો નથી. કારણ કે તે સંસારમાં છે જ નહીં અને જે વસ્તુનો સંશય થાય છે તે વસ્તુ ત્યાં હોય કે ત્યાં ભલે ન હોય, પરંતુ સંસારમાં ક્યાંક તો અવશ્ય હોય જ છે. જો સંસારમાં તે વસ્તુ ક્યાંક પણ હોય, તો જ અહીં છે કે નથી એવી શંકા થાય. માટે સર્વ વસ્તુઓ સર્વથા અસત્ નથી પણ સ્થાણુપુરુષાદિની જેમ ત્યાં અથવા અન્યત્ર સત્ છે. અથવા સર્વવસ્તુઓનો સર્વથા અભાવ જ હોય તો વિપરીતપણું કેમ ન થાય ? એટલે કે આકાશપુષ્પાદિ જે વસ્તુ અસત્ છે તેનો જ સંશય થાય અને સ્થાણુ-પુરુષાદિ જે સત્ છે તેનો સંશય ન થાય, આવું પણ કેમ ન બને ? પરંતુ આવું ક્યારે પણ બનતું નથી. તેથી સમજવું જોઈએ કે આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે પરંતુ પાંચ ભૂતો તેની જેમ સર્વથા અસત્ નથી. પરંતુ કથંચિત્ સ્વદ્રવ્યાદિભાવે સત્ છે. II૧૬૯૮ पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धिरत्थाणं । सव्वप्पमाणविसयाभावे किह संसओ जुत्तो? ॥१६९९॥ (प्रत्यक्षतोऽनुमानादागमतो वा प्रसिद्धिरर्थानाम् । સર્વપ્રમાવિષયમાવે શું સંશયો યુવતઃ ? ) ગાથાર્થ - પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમથી ઘટ-પટ આદિ પદાર્થોની સિદ્ધિ છે. માટે જ સંશય થાય છે. જો સર્વ પ્રમાણોનો અને સર્વ વિષયોનો અભાવ જ હોય તો સંશય કેમ યોગ્ય કહેવાય ? /૧૬૯૯ll વિવેચન - વસ્તુ જે જ્ઞાન વડે જણાય તે જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. ઈન્દ્રિયાદિ વડે અને આત્મા વડે જે સાક્ષાત્ જણાય છે તે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. ધૂમાદિ લિંગ દ્વારા વતિ આદિ લિંગીનું (સાધ્યનું) જે જ્ઞાન થાય છે તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષોની વાણી દ્વારા જે જ્ઞાન થાય છે તે આગમપ્રમાણ કહેવાય છે. વસ્તુતત્ત્વને જાણવામાં મુખ્યત્વે આ ત્રણ પ્રમાણો એ સાધન છે તથા આ ત્રણ પ્રમાણો દ્વારા જે જે
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy