________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૪૩ સર્વે પણ ભાગો અદેશ્ય છે અને અદશ્ય હોવાથી આકાશપુષ્પની જેમ સર્વે ભાગો અસત્ છે માટે નથી જ. તેથી આ રીતે ઉપરોક્ત ન્યાયને અનુસારે પરભાગ-મધ્યભાગ-શેષ આરાતીય ભાગ અને સૌથી પ્રથમ આરતીય ભાગ આમ સર્વ ભાગોનો અનુપલંભ જ છે. તેથી આખી વસ્તુની અનુપલબ્ધિ જ છે અને જેની અનુપલબ્ધિ હોય તે અસત્ જ હોય છે. તેથી સર્વશૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે. સર્વશૂન્યવાદી બૌદ્ધ કહે છે કે અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે -
यावद् दृश्यं परस्तावद्, भागः स च न दृश्यते । તેન તે નામનાપ્યા દિ, માવા: સર્વે સ્વમાવતઃ II II
શ્લોકાર્થ - જે જે દૃશ્યવસ્તુ છે તેનો પરભાગ (તથા મધ્યભાગ) દેખાતો જ નથી માટે નથી અને જેનો પરભાગ-મધ્યભાગ ન હોય તેનો અગ્રિમભાગ પણ નથી. કારણ કે અગ્રિમભાગ પર તથા મધ્યની અપેક્ષાવાળો છે. તેથી ત્રણે ભાગો ન હોવાથી સર્વે પણ પદાર્થો “આ ઘટ છે” “આ પટ છે” ઈત્યાદિ સ્વરૂપે અભિલાપ યોગ્ય નથી. કારણ કે તે સર્વે ભાવો અસત્ છે. તેથી સર્વે પણ ભાવો સ્વભાવથી જ શૂન્યાત્મક જ છે.
આ પ્રમાણે ઉપરોક્ત યુક્તિપ્રમાણે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશાદિ સમસ્ત ભૂતતત્ત્વનો અભાવમાત્ર જ છે. માટે સર્વથા શુન્ય જ આ સંસાર છે આમ જણાય છે. છતાં પણ મનુસ્મૃતિ વગેરે શ્રુતિપાઠોમાં “વાપૃથિવ્યો વગેરે પદોમાં પાંચ ભૂતો વગેરે પદાર્થો છે. આમ પદાર્થોનું અસ્તિત્વ પણ સૂચવ્યું જ છે. માટે તે વ્યક્તપંડિત ! બને બાજુના પાઠો અને યુક્તિઓ દેખાતી હોવાથી ભૂતો છે કે ભૂતો નથી ? આવો સંશય તમારા મનમાં થયેલો છે. ll૧૬૯૬ll
હવે વ્યક્તપંડિતના આ પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે - मा कुरु वियत्त, संसयमसइ न संसयसमुब्भवो जुत्तो । खकुसुम-खरसिंगेसु व, जुत्तो सो थाणुपुरिसेसु ॥१६९७॥ ( मा कुरु व्यक्त, संशयमसति न संशयसमुद्भवो युक्तः ।
સુમ-શ્વરકૃવિ , યુવત: સ સ્થાણુ-પુરુષો: I) ગાથાર્થ - હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતોના અસ્તિત્વમાં તમે શંકા ન કરો. જો ભૂતો અસત્ જ હોત તો આકાશપુષ્પ અને ખરબૃગની જેમ તે ભૂતોને વિષે સંશયની ઉત્પત્તિ પણ ન જ થાત. કારણ કે તે સંશય સ્થાણુ-પુરુષ જેવા સતપદાર્થોમાં જ સંભવે છે. /૧૬૯૭ll