________________
૨૪૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વસ્તુઓ છે કે નથી એવી વાર્તા જ હોતી નથી. હવે વાત રહી દશ્ય વસ્તુની. તે પણ નીચે પ્રમાણે વિચારતાં નથી જ, એમ લાગે છે. અર્થાત્ દશ્ય વસ્તુ પણ નીચેના તર્ક પ્રમાણે અસત્ જ છે. તેથી સર્વથા શૂન્યતા જ છે. આ જ માર્ગ કલ્યાણકારી છે.
જે જે દેશ્ય વસ્તુ છે જેમકે સ્તંભ-કુંભ-કુટી વગેરે, તેના આદિ, મધ્ય અને પાછળ એમ ત્રણ ભાગો હોય છે. વસ્તુનો આગલો ભાગ જે ચક્ષુથી દેખાય છે તેને મારત્ = આગલો ભાગ કહેવાય છે. જે પાછળ ભાગ છે તેને પશ્ચાત્ અથવા પર ભાગ કહેવાય છે અને આ બન્નેની વચ્ચેનો જે ભાગ છે તે ભાગને મધ્યભાગ કહેવાય છે. આમ (૧) નારદ્ ભાગ, (૨) મધ્ય ભાગ અને (૩) પર ભાગ. એમ કુલ ત્રણ ભાગ દરેક વસ્તુના હોય છે. તે ત્રણ ભાગ પૈકી બે નંબર અને ત્રણ નંબરવાળા મધ્યભાગ અને પરભાગ તો વસ્તુમાં છે જ નહીં, અર્થાત્ અસત્ જ છે. કારણ કે મારદ્િ ભાગ વડે એટલે કે આગલા ભાગ વડે ઢંકાયેલા હોવાથી તે બે ભાગ દેખાતા નથી અને જે ન દેખાય તે આકાશપુષ્પાદિની જેમ અસત્ જ હોય છે. માટે મધ્યભાગ અને પરભાગ અદૃશ્યમાન હોવાથી અસત્ છે અર્થાત્ નથી.
હવે વાત બાકી રહી માત્ર આગલા ભાગની, આગળવાળો જે ભાગ છે તે પણ ઘણા પરમાણુઓના સ્કંધાત્મક હોવાથી સાવયવ છે. એટલે અભ્રકની જેમ તેમાં ઘણાં પડલ છે. તે પડલોમાં ઉપરના પહેલા પટલ વડે બીજું પડલ ઢંકાયેલું હોવાથી દેખાતું નથી. બીજા વડે ત્રીજું, ત્રીજા વડે ચોથું અને ચોથા વડે પાંચમું ઢંકાયેલ છે તેથી દેખાતું નથી. આ રીતે ઉપરવાળા પ્રથમ પડલને છોડીને બાકીનાં તમામ પડલો એક-બીજા વડે ઢંકાયેલાં હોવાથી અદશ્ય છે અને જે અદેશ્ય હોય છે તે ખરવિષાણ અને આકાશપુષ્પની જેમ અસત્ જ છે. તેથી આરામ્ભાગના પ્રથમ ભાગને છોડીને શેષ સર્વે પણ ભાગ અદેશ્ય હોવાથી અસત્
છે.
હવે સૌથી ઉપરનો જે પ્રથમ આરાન્ ભાગ = આગલો ભાગ છે તે ભાગ પરમાણુઓના પ્રતરાત્મક બનવાથી અતિશય સૂક્ષ્મ છે. પથરાયેલા પરમાણુઓનો જ આગલો ભાગ બનશે. તે ભાગ અત્યંત સૂક્ષ્મ હોવાથી અદેશ્ય છે અને અદેશ્ય હોવાથી અસત્ છે. આ રીતે વિચારતાં સૌથી આગલો ભાગ પણ પરમાણુઓના પ્રતરાત્મક બનવાથી અતિશય સૂક્ષ્મ છે માટે અદેશ્ય છે. બીજા-ત્રીજા-ચોથા વગેરે આગલા ભાગો પહેલા-બીજા-ત્રીજા આગલા ભાગ વડે ઢંકાયેલા હોવાથી અદેશ્ય છે અને મધ્યભાગ આગલા સર્વે ભાગો વડે આચ્છાદિત છે તેથી અદેશ્ય છે અને અંતિમ એવો પરભાગ જે છે તે આગલા ભાગ વડે અને મધ્યભાગ વડે અંતરિત છે માટે અદેશ્ય છે. આ રીતે વસ્તુના